હાર્દિક પટેલનો કોંગ્રેસના નેતાઓને સણસણતો તમાચો, કોંગ્રેસના ટોચના નેતા ગુજરાત અને ગુજરાતીઓને કરે છે નફરત!

|

May 18, 2022 | 12:13 PM

હાર્દિકે કોઈ નેતાનું નામ લીધા વગર કોંગ્રેસના એ સર્વોચ્ચ નેતાને સંબોધીને આ પત્ર લખ્યો છે કે જેને ગુજરાતની ચૂંટણીની જવાબદારી સંભાળી રહ્યા છે.

હાર્દિક પટેલનો કોંગ્રેસના નેતાઓને સણસણતો તમાચો, કોંગ્રેસના ટોચના નેતા ગુજરાત અને ગુજરાતીઓને કરે છે નફરત!
Hardik Patel (File Photo)

Follow us on

હાર્દિક પટેલે કોંગ્રસમાંથી રાજીનામું આપતી વખતે એક પત્ર રજૂ કર્યો છે જેમાં તેમણે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા સામે ગંભીર આરોપ લગાવ્યા છે. હાર્દિક પટેલે આ પત્રના બીજા ફકરામાં કોંગ્રેસના નેતા પર ચોખ્ખો આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓને મળવાનું થાય ત્યારે તેઓ અવું વર્તન કરતા હોય છે કે જાણે તેઓ ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરતા હોય. હાર્દિકે કોઈ નેતાનું નામ લીધા વગર કોંગ્રેસના એ સર્વોચ્ચ નેતાને સંબોધીને આ પત્ર લખ્યો છે કે જેને ગુજરાતની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી હોવાનું કહેવામાં આવે છે.

હાર્દિકે આ સાથે એમ પણ લખ્યું છે કે આવું વર્તન કરતા હોવા છતાં કોંગ્રેસ હાઈ કમાન્ડ કેવી રીતે અપેક્ષા રાખે છે કે ગુજરાતની જનતા તેમને વિકલ્પ તરીકે જોવે? તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓને જ્યારે ગુજરાત વિશેની કોઈ રજૂઆત કરવામાં આવે ત્યારે તેમનું ધ્યાન ગુજરાત અને પક્ષની જનતાની સમસ્યાઓ સાંભળવા કરતાં તેમના પોતાના મોબાઈલ અને અન્ય બાબતો પર વધારે રહેતું હોય છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Hardik Patel’s Letter

 

હાર્દિક પટેલે લખેલા પત્રને બીજો ફકરો અક્ષરશઃ અહીં રજુ કર્યો છે. કોંગ્રેસ પક્ષની ટોચની નેતાગીરીમાં કોઈપણ મુદ્દા પ્રત્યે ગંભીરતાનો અભાવ એ મોટો મુદ્દો છે. હું જ્યારે પણ પાર્ટીની ટોચની નેતાગીરીને મળતો ત્યારે એવું લાગતું હતું કે તેઓનું ધ્યાન ગુજરાત અને પક્ષની જનતાની સમસ્યાઓ સાંભળવા કરતાં તેમના પોતાના મોબાઈલ અને અન્ય બાબતો પર વધારે રહેતું. જયારે પણ દેશ મુશ્કેલીમાં હતો કે કોંગ્રેસને નેતૃત્વની સૌથી વધુ જરૂર હતી ત્યારે અમારા નેતાઓ વિદેશમાં હતા. ટોચનું નેતૃત્વ ગુજરાત પ્રત્યે એવું વર્તન કરી રહ્યું છે કે જાણે તેઓ ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરતા હોય. તો કોંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખે છે કે ગુજરાતની જનતા તેમને વિકલ્પ તરીકે જોવે?

Published On - 12:05 pm, Wed, 18 May 22

Next Article