રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને જામીન તો મળ્યા પરંતુ તેનો જેલમાંથી છુટકારો નથી થયો. કેમ કે એક કેસમાંથી છુટ્યા બાદ હવે સિદ્ધપુરમાં જાહેરનામાનો ભંગ કરવાના કેસમાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. સિદ્ધપુરના કેસમાં હાર્દિક પટેલને સિદ્ધપુર કોર્ટમાં રજુ કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સમગ્ર કેસની વાત કરીએ તો રાજદ્રોહ કેસમાં વારંવાર કોર્ટમાં ગેરહાજર રહેતા કોર્ટે હાર્દિક સામે બિનજામીનપત્ર વોરંટ ઈશ્યુ કર્યું હતું. ત્યારબાદ વિરમગામ નજીકથી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ હાર્દિકને જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી તો કોર્ટે હવે પછીની સુનાવણીમાં ગેરહાજર નહીં રહેવાની શરતે જામીન મંજૂર કર્યા હતા.
હાર્દિકના જામીન તો મંજૂર થઈ ગયા પરંતુ હવે સિદ્ધપુરમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. 10 ડિસેમ્બર 2017ના રોજ ચૂંટણી સમયે હાર્દિકે ગાગલાસણ નજીક સભા કરી હતી. જેમાં બિનરાજકીય ભાષણ કરવાની શરતનો ભંગ થયો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 9:45 am, Wed, 22 January 20