Gujarat Top News: કોરોના વેક્સિનેશનથી લઈ રાજ્યમાં વરસાદની સ્થિતિ, જાણો શું છે રાજકીય ગતિવિધિઓના સમાચાર એક ક્લિકમાં

|

Jul 10, 2021 | 5:47 PM

જાણો, રાજ્યમાં ક્યાં થઈ વરસાદની પધરામણી, વેક્સિનેશનની કામગિરી,મુખ્યપ્રધાને કોની પર કર્યા આકરા પ્રહાર,ક્યા ઉડ્યા સોશિયલ ડિસ્ટનસના ધજાગરા, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: કોરોના વેક્સિનેશનથી લઈ રાજ્યમાં વરસાદની સ્થિતિ, જાણો શું છે રાજકીય ગતિવિધિઓના સમાચાર એક ક્લિકમાં
Gujarat Top News: From corona vaccination to rain conditions in the state, find out what is the news of political activities in one click

Follow us on

1.મુખ્યપ્રધાન વિજય રુપાણીનો AAP પર પ્રહાર, આમ આદમી પાર્ટીને યોજનાના અમલ કરતાં પ્રચારમાં વધુ રસ

કોરોનાથી પ્રભાવિત પરિવાર માટે એક કલ્યાણકારી યોજના વિશે ગુજરાતના સમાચારપત્રોમાં એક આખા પેજની જાહેરાત માટે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્હી સરકાર પર કટાક્ષ કરતા મુખ્યપ્રધાન વિજય રુપાણીએ કહ્યું કે, આમ આદમી પાર્ટી યોજનાને અમલ કરવાની તુલનામાં પ્રચાર વધુ રસ દેખાડે છે.

2.રાજ્યમાં ત્રણ દિવસ બાદ આજથી વેક્સિનેશન સેન્ટરો થયા શરૂ, વેક્સિન માટે લોકોની લાગી લાઈનો

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

આજથી રાજ્યમાં વેક્સિનેશન સેન્ટર ફરીથી ખુલ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી વેક્સિનની રાહ જોઈ રહેલા લાખો નાગરિકોને આજથી વેક્સિન મળવાનું શરૂ થશે. રાજ્યમાં 5000થી વધુ રસીકરણ કેન્દ્રો પર આજથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.

3.અમદાવાદમાં ત્રણ દિવસ બાદ વેક્સિનેશન સેન્ટર થયા શરૂ

અમદાવાદમાં ત્રણ દિવસ બાદ વેક્સિનેશન સેન્ટર થયા શરૂ થયા છે. રસીકરણ શરૂ થતાં જ સેન્ટરો પર લોકોની ભીડ જામી હતી. જો કે, શનિવાર અને રવિવાર હોવાથી લોકો મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે પહેંચ્યા હતા.ઉપરાંત, આજે પણ AMCને લિમિટેડ સ્ટોક મળતા કેટલીક જગ્યા પર હાલાકી સર્જાઈ છે.

4. કાલાવડ તાલુકાના રણુંજા ગામનું સુપ્રસિદ્ધ રામદેવજી મંદિર અષાઢી બીજથી દર્શનાર્થીઓ માટે રહેશે ખુલ્લું

કાલાવડ તાલુકાના રણુંજા ગામનું સુપ્રસિદ્ધ રામદેવજી મંદિર અષાઢી બીજથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. અષાઢી બીજના દિવસે રામાપીરને બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવે છે. ઉપરાંત, આ દિવસે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે.

5.સુરત શહેરમાં વરસાદની રિ-એન્ટ્રી

સુરત શહેર અને જિલ્લામાં વરસાદની રિ-એન્ટ્રી ગઈ છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. બપોરના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના અડાજણ,પાલ, ડભોલી, પુણા ગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં.

6.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાની બીજી ઇનિંગ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઈ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત ,વલસાડ અને સૌરાષ્ટ્રના દેવભૂમિદ્વારકા, જૂનાગઢમાં વરસાદનું આમન થતા ખેડુતોમાં ખૂશીની લહેર છવાઈ.

7.પર્યટન સ્થળ આબુમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

પર્યટન સ્થળ આબુમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળતો હોય છે, ત્યારે આબુમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. ઉપરાંત,શનિ રવિની રજાઓમાં સહેલાણીઓની ભીડમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા.

8.ધોરાજીમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી

રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. ધોરાજીમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. ધોરાજી તાલુકાના તોરણીયા, પરબડી, જમના વડ, ફરેની પરબડી સહિત વિસ્તારમાં વરસાદ વરસતા કપાસ, મગફળી ,સોયાબીન સહિતના પાકોને જીવતદાન મળ્યું છે.

9.વડોદરા સ્થિત યુનાઇટેડ વે ઓફ બરોડાએ ઉમદા અભિયાન હાથ ધર્યું

વડોદરા સ્થિત યુનાઇટેડ વે ઓફ બરોડાએ ઉમદા અભિયાન હાથ ધર્યું છે. ‘મિશન શિક્ષા અભિયાન’ દ્વારા સંસ્થાએ કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોના અભ્યાસની જવાબદારી ઉપાડી છે. આ અભિયાન હેઠળ વડોદરા જિલ્લો, ભરૂચ, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા અને પંચમહાલ એમ 6 જિલ્લામાંથી બાળકો પાસે અરજીઓ મંગાવવામાં આવી છે.

10.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની રિ-એન્ટ્રી થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

 

Next Article