રાજ્યમાં આજે કોરોનાના 1110 નવા કેસ નોંધાયા અને 11 દર્દીઓના થયા મોત
રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1110 નવા પોઝિટિવ કેસ નોંધાયા. અમદાવાદ શહેરમાં 232 કેસ અને સુરત શહેરમાં 141 પોઝિટિવ કેસ સામે આવ્યા. વડોદરા શહેરમાં 101 અને રાજકોટ શહેરમાં 99 કોરોનાના કેસ નોંધાયા. કાળમુખો કોરોના 11 દર્દીઓને ભરખી ગયો. જેમાં અમદાવાદ શહેરમાં સર્વાધિક 8 દર્દીઓના અને સુરત શહેરમાં 2 દર્દીના […]

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1110 નવા પોઝિટિવ કેસ નોંધાયા. અમદાવાદ શહેરમાં 232 કેસ અને સુરત શહેરમાં 141 પોઝિટિવ કેસ સામે આવ્યા. વડોદરા શહેરમાં 101 અને રાજકોટ શહેરમાં 99 કોરોનાના કેસ નોંધાયા. કાળમુખો કોરોના 11 દર્દીઓને ભરખી ગયો. જેમાં અમદાવાદ શહેરમાં સર્વાધિક 8 દર્દીઓના અને સુરત શહેરમાં 2 દર્દીના મૃત્યુ નિપજ્યા.
