VIDEO: રાજ્યમાં સિઝનનો કુલ 140.98 ટકા વરસાદ, જાણો રાજ્યના કેટલા જળાશયો થયા પાણીથી છલોછલ

|

Oct 03, 2019 | 9:45 AM

રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને મહેરબાન થતા સિઝનનો 140.98 ટકા વરસાદ નોંધાયો છે. જેને પગલે રાજ્યના જળાશયો પાણીથી છલોછલ ભરાયા છે. રાજ્યના 204 જળાશયોમાં હાલ કુલ સંગ્રહશક્તિના 94.52 ટકા પાણી ભરાયેલું છે. જે ગત વર્ષે માત્ર 54.81 ટકા જેટલુ જ હતુ. તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ તેની કુલ જળક્ષમતા 98.26 ટકા […]

VIDEO: રાજ્યમાં સિઝનનો કુલ 140.98 ટકા વરસાદ, જાણો રાજ્યના કેટલા જળાશયો થયા પાણીથી છલોછલ

Follow us on

રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને મહેરબાન થતા સિઝનનો 140.98 ટકા વરસાદ નોંધાયો છે. જેને પગલે રાજ્યના જળાશયો પાણીથી છલોછલ ભરાયા છે. રાજ્યના 204 જળાશયોમાં હાલ કુલ સંગ્રહશક્તિના 94.52 ટકા પાણી ભરાયેલું છે. જે ગત વર્ષે માત્ર 54.81 ટકા જેટલુ જ હતુ. તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ તેની કુલ જળક્ષમતા 98.26 ટકા પાણી ભરાયેલુ છે.

આ પણ વાંચો: VIDEO: ઓક્ટોબર મહિનાની આ તારીખ પછી રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે: હવામાન વિભાગ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આંકડા પ્રમાણે જોઈએ તો રાજ્યના 120 જળાશયો 70થી 100 ટકા ભરાયેલા છે. જ્યારે 17 જળાશયો 50થી 70 ટકા ભરાયેલા છે. તો 12 જળાશયોમાં 25થી 50 ટકા પાણીનો જથ્થો ભરાયેલો છે. જો ઝોન પ્રમાણે જળાશયોમાં રહેલા પાણીના જથ્થાની વાત કરીએ તો સૌથી વધુ દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 99.42 ટકા પાણી ભરાયેલું છે. તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 98.45 ટકા પાણીનો જથ્થો હાજર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 91.96 ટકા પાણીનો જથ્થો રહેલો છે. આ તરફ કચ્છના 20 જળાશયોમાં 76.63 ટકા પાણી ભરાયેલું છે. તો સૌથુ ઓછુ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 74.21 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે. ચાલુ વર્ષે રાજ્યના જળાશયો છલોછલ થતા રાજ્યમાં આગામી 2 વર્ષ પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા દૂર થઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article