રાજ્યના વીજ વપરાશકારો માટે સારા સમાચાર છે. રાજ્યના ઉર્જા વિભાગે 1.80 કરોડ વીજગ્રાહકોના હિતમાં નિર્ણય લીધો છે અને વીજળીના યુનિટ દીઠ 19 પૈસાના ઘટાડાની જાહેરાત કરી છે. ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરાયો છે જેના કારણે વીજગ્રાહકોને હવે વીજળીના પ્રતિ યુનિટ પર 19 પૈસાનો ફાયદો થશે. આ લાભ રાજ્યના 1 કરોડ 80 લાખ વીજ વપરાશકારોને મળશે આ ઘટાડો ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિના માટે લાગુ રહેશે. જોકે આ જાહેરાતથી વીજગ્રાહકોને કુલ રૂપિયા 356 કરોડનો ફાયદો થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો