VIDEO: રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની થશે શરૂઆત, પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાનું આ નિવેદન
આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. જેમાં રાજ્યના 145 જેટલા માર્કેટીંગ યાર્ડમાં આવેલા સેન્ટરોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, જો જરૂર જણાશે તો સરકાર દ્રારા ખેડૂતોના હિતમાં વઘારે સેન્ટરો પણ ખોલવામાં આવશે. સાથે સાથે જયેશ રાદડિયાએ જે વિસ્તારમાં માવઠાનો માર પડ્યો છે […]
magfali jayesh radadiya
Follow us on
આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. જેમાં રાજ્યના 145 જેટલા માર્કેટીંગ યાર્ડમાં આવેલા સેન્ટરોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, જો જરૂર જણાશે તો સરકાર દ્રારા ખેડૂતોના હિતમાં વઘારે સેન્ટરો પણ ખોલવામાં આવશે. સાથે સાથે જયેશ રાદડિયાએ જે વિસ્તારમાં માવઠાનો માર પડ્યો છે તેવા વિસ્તારોમાં પલળેલી મગફળી અંગે વિચારણા કરવામાં આવશે. તેવો દાવો પણ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠાને કારણે મગફળી અને કપાસનો પાક નિષ્ફળ ગયો છે. અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી ગયું છે. ત્યારે સરકારનો દાવો માત્ર વાતો જ રહે છે કે પછી નક્કર કાર્યવાહી થાય છે તે જોવું એટલુ જ મહત્વનું છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો