
વિરોધના વંટોળ બાદ સરકારે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. જેને ક્યાંક સમર્થન તો ક્યાંક મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાક વાહનચાલકોનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય યોગ્ય છે. જોકે હેલ્મેટ પહેરવું આપણી જ સેફ્ટી માટે સારું છે. તો બીજી તરફ સરકારના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ આપી રહેલા વાહનચાલકોનું કહેવું છે. કે એવું નથી કે, હેલ્મેટ પહેરવાથી અકસ્માતો ઘટે છે. BRTS અકસ્માતમાં જે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. તે બે સગા ભાઈયોએ પણ હેલ્મેટ પહેર્યા જ હતા. જોકે દુર્ઘટના બની હતી. પણ એકંદરે આ નિર્ણય સારો હોવાનું મોટા ભાગના વાહનચાલકોનું કહેવું છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં DPS સ્કુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 4:39 pm, Wed, 4 December 19