ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવી આજે દિલ્હીની એક દિવસીય મુલાકાતે છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027નો કર્ટન રેઝર કાર્યક્રમ ભારત મંડપમ ખાતે યોજાશે. જ્યા ઉદ્યોગ જગતના અગ્રણીઓને કરશે સંબોધન. વિવિધ ઉદ્યોગ જગતના ceo સાથે કરશે બેઠકો. બેઠક બાદ 11:30 એ વાયબ્રન્ટ ગુજરાત સમિટ નું કરટેન રેઝર કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી દિલ્હીમાં ટાટા રિન્યુએબલ,જેએસડબલ્યુ એમજી મોટર,શ્નાઈડર ઈલેક્ટ્રિક સહિત અનેક દિગ્ગજ કંપનીઓના CEO સાથે વન-ટુ-વન બેઠકો કરશે. આ બેઠકોમાં ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર, ઓટોમોબાઇલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને AI જેવા મુખ્ય ક્ષેત્રોમાં રોકાણ અંગે વિશેષ ચર્ચા થશે. સાંજે હોટેલ તાજ પેલેસ ખાતે વિવિધ દેશોના મિશન હેડ્સ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ઉચ્ચસ્તરીય સંવાદ યોજાશે. આગામી 10થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગુજરાતમાં યોજાશે વાયબ્રન્ટ સમિટ
વડોદરાના વરણામાંથી ઝડપાયો વિદેશી દારૂ. પોલીસે 139 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોર GIDCમાંથી દારૂના કટિંગનો પર્દાફાશ કર્યો. 7.49 લાખના દારૂ સાથે 25.49 લાખનો મુદ્દામાલ કબજે. વરણામાં પોલીસે 2 આરોપીઓને પણ ઝડપી પાડ્યા.
જામનગર-લાલપુર હાઈવે પર કાર, બાઈક અને રિક્ષા વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત થયા છે. ચેલા ગામ નજીક કાર, બાઈક અને રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. શ્રાવણ માસના સોમવારે ભોળેશ્વરથી પરત ફરતી વખતે અકસ્માત થયો. અકસ્મતામાં રિક્ષાચાલક વૃદ્ધ સહિત 3 લોકોના મોત થયા છે. બાઈક સવાર બે યુવાનોના પણ ઘટના સ્થળે મોત થયા છે. અકસ્મતમાં કુલ 3 લોકોના મોતથી અરેરાટી વ્યાપી જવા પામી છે. 5 બાળકો અને 2 મહિલાઓ સહિત અનેક લોકોને ઈજા થવા પામી છે. ઈજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈજાગ્રસ્તોને 4 જેટલી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા છે.
PM નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે. 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાત. વડોદરા અને નવસારીની લેશે મુલાકાત. બપોરે 12 વાગે વડોદરામાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના 30 હજાર કરોડના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. જાહેર સભાને કરશે સંબોધન. વડોદરાથી નવસારી જવા થશે રવાના. 3 વાગે નવસારીમાં જિલ્લા ભાજપ કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન. કાર્યકર્તાને કરશે સંબોધન. નવસારી કાર્યક્રમ બાદ મુંબઇ જવા થશે રવાના.
મહેસાણામાં આવેલ ધરોઈ ડેમની જળસપાટીમાં છ દિવસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જળસપાટી 607.62 ફૂટથી ઘટીને 607.51 ફૂટ પર પહોંચી છે. વરસાદને અભાવે, ધરોઈ ડેમમાં સંગ્રહાયેલ પાણીની સપાટીમાં કુલ 0.11 ફૂટનો સીધો ઘટાડો થયો છે. ડેમમાં પાણીનો કુલ સંગ્રહ 51.89 ટકાએ પહોંચી ગયો છે. છ દિવસમાં જળ સંગ્રહમાં 0.33 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલમાં ધરોઈ ડેમમાં પાણીની નવી આવક અને જાવક સંપૂર્ણ શૂન્ય છે. વરસાદ ન થતાં ડેમની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો છે.
મહેસાણાના નાગલપુર ચાર રસ્તા પાસે ફાયરિંગનો બનાવ બન્યો છે. માધવી પાર્લર પાસે ઊભેલી ગાડીને સ્કોર્પિયોએ ટક્કર મારી હતી. ભાવેશ જીલિયા અને તેના મિત્રો ગાડીમાં બેઠા હતા. સફેદ સ્કોર્પિયો સવારોએ ફોર્ચ્યુનર ગાડી પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાસ્થળેથી મિસફાયર રાઉન્ડ અને ખાલી કારતૂસ મળી આવ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી દીધી. બી ડિવિઝન પોલીસે હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
બરવાળા પોલીસે દેશી દારૂની ભઠ્ઠી સામે મોટી કાર્યવાહી કરી છે. બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારના તાલુકાના બેલા ગામેથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. બાતમીના આધારે બરવાળા પોલીસની સર્વેલન્સ ટીમે કરી કાર્યવાહી. બેલા ગામથી ગુંદા ગામ તરફ જવાના કાચા રસ્તે ખરાબા વાળી જગ્યાના ખેતર પાસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી પાડી સાથે ભઠ્ઠી ચલાવતો આરોપી ઝડપાયો. આરોપી કિશન રાજુભાઈ શિહોરા બેલા ગામના યુવાનને પોલીસે ઘટના સ્થળેથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી. દેશી દારૂ ગાળવાનો 5,000 લીટર આથો કિંમત રૂપિયા 1,25, 000 (સવા લાખનો) ઝડપાયો.
દેશી પીવાનો દારૂ 150 લીટર, કિંમત રૂપિયા 30,000 પણ ઝડપી લેવાયો. પોલીસે કુલ રૂપિયા 1.55 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બરવાળા સર્વેલન્સ ટીમની કામગીરી. દારૂના ગેરકાયદે ધંધા સામે બરવાળા પોલીસની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
ખંભાતના શકરપૂર ખાતે ખાડઉ સીમ વિસ્તારની તલાવડીમાં ત્રણ બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે. ખાડઉ સીમ વિસ્તારમાં આવેલ તળાવ કિનારે ત્રણેય બાળકી શૌચ કરવા ગઈ હતી. જ્યાં કોઈ કારણોસર બાળકીઓ તળાવમાં પડી જતા ડૂબી ગઈ. પરિવારજનો તેમજ સગાસબંધીઓએ ખેતરમાં તેમજ આસપાસ 2 કલાક સુધી શોધખોળ કરી હતી. તળાવ કિનારે કાગળની બનાવેલી હોડીઓ તરતી દેખાતા તળાવમાં શોધખોળ કરી હતી. જેમાં સ્થાનિક યુવકે તળાવમાં પડી ત્રણેય બાળકીઓને મૃત હાલતમાં બહાર કાઢી હતી. ત્યારબાદ ત્રણેય બાળકીઓને 108 એમ્બયુલન્સ વાન મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસીને ત્રણેય બાળકીઓને મૃત જાહેર કરી હતી. ત્રણેય બાળકીઓ ફરજ પરના ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતે મોતની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે. શકરપૂર મોસમ ફળીયા ખાતે રહેતા અશ્વિનભાઈ બારૈયાની ત્રણ પુત્રી પ્રિયા (ઉ.વ. 13), ઈશા (ઉ.વ. 11), રીના (ઉ.વ. 8) તળાવમાં ડૂબી જવાથી મોત થયું.
રવિવારે, યુએસ સૈન્યએ એક મહિના બાદ ઈરાન ઉપર ફરીથી હુમલો કર્યો. આ હુમલામાં હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની રોકેટ લોન્ચરને નિશાન બનાવવામાં આવ્યું. આ કાર્યવાહીએ છ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન પ્રવર્તતી શાંતિને તોડી નાખી. ઈરાને પણ તરત જ હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી અને ત્યારબાદ યુએસ જહાજોને નિશાન બનાવ્યા. આ હુમલાઓમાં બે લોકો માર્યા ગયા.
આજે 31 ઓગસ્ટને 0000 વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો
Published On - 7:13 am, Mon, 31 August 26