28 મેના મહત્વના સમાચાર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અમિત શાહ

આજે 28 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

28 મેના મહત્વના સમાચાર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અમિત શાહ
| Edited By: | Updated on: May 28, 2026 | 9:22 AM

LIVE NEWS & UPDATES

  • 28 May 2026 09:22 AM (IST)

    કેનેડામાં વધુ એક ગુજરાતી યુવતીની હત્યાથી ચકચાર

    કેનેડામાં વધુ એક ગુજરાતી યુવતીની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આણંદ જિલ્લાના બોરસદની 22 વર્ષીય યુવતીની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. યુવતી છેલ્લા ચાર વર્ષથી કેનેડાના Niagara Region વિસ્તારમાં રહેતી હતી અને અભ્યાસની સાથે નોકરી પણ કરતી હતી. મળતી માહિતી મુજબ, 15 મેના રોજ અમેરિકન બોર્ડર નજીક આ હત્યાની ઘટના બની હતી. સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવતીના અચાનક મોતના સમાચાર મળતા પરિવાર અને સગાસંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

  • 28 May 2026 08:34 AM (IST)

    બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું

    બનાસકાંઠામાં શંકાસ્પદ ઘીના કારોબારનો પર્દાફાશ થયો છે. SOGએ પેટ્રોલિંગ દરમિયાન એક પીકપ વાનને રોકી તપાસ કરતાં તેમાંમાંથી 170થી વધુ ઘીના ડબ્બા મળી આવ્યા હતા. ઘી શંકાસ્પદ લાગતા પોલીસે સમગ્ર જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘી ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને પહોંચાડવાનું હતું તે અંગે વાહનચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે પોલીસે પુરવઠાની ચેઇન અને સંડોવાયેલા લોકો સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.


  • 28 May 2026 08:24 AM (IST)

    મહીસાગરઃ વિરપુરમાં ફેસબુક સ્ટોરી મૂકવાની અદાવતમાં હુમલો

    મહીસાગરના વિરપુરમાં ફેસબુક સ્ટોરી મૂકવાની અદાવતમાં હુમલાની ઘટના સામે આવી છે. ભાજપના નેતા અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન Pinakin Shukla સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, ફેસબુક પર ફોટા કેમ મૂક્યા તે મુદ્દે બોલાચાલી બાદ આરોપીઓએ લોખંડની પાઇપ અને દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. સાથે જ હુમલા દરમિયાન લેપટોપ અને મોબાઈલની લૂંટ ચલાવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

  • 28 May 2026 08:17 AM (IST)

    અમદાવાદ: વટવામાં બીબી તળાવ પાસે ખાડામાં ખાબકી ક્રેન

    અમદાવાદના વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે ખાડાના સમારકામ દરમિયાન એક ક્રેન ખાડામાં ખાબકવાની ઘટના સામે આવી છે. આશરે એક મહિના પહેલા પડેલા ખાડાનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જમીન ધસી જતા ક્રેન ખાડામાં ફસાઈ ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ પણ આ જ ખાડામાં એક બાઇક ખાબકી હતી, જેના કારણે વિસ્તારમાં સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

  • 28 May 2026 07:52 AM (IST)

    મહીસાગરઃ વિરપુરમાં ફેસબુક સ્ટોરી મૂકવાની અદાવતમાં હુમલો

    મહીસાગરના વિરપુરમાં ફેસબુક સ્ટોરી મૂકવાની અદાવતમાં હુમલાની ઘટના સામે આવી છે. ભાજપના નેતા અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન Pinakin Shukla સહિત ચાર શખ્સો સામે મારામારી અને હુમલાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, ફેસબુક પર ફોટા કેમ મૂક્યા તે બાબતે બોલાચાલી બાદ લોખંડની પાઇપ અને દંડા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ હુમલાખોરોએ લેપટોપ અને મોબાઈલની લૂંટ ચલાવ્યાનો પણ આરોપ છે. ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

  • 28 May 2026 07:51 AM (IST)

    પાલીતાણા: શેત્રુંજી નદીમાં દારૂની બોટલ સાથેનો વીડિયો વાયરલ

    પાલીતાણાની પવિત્ર શેત્રુંજી નદીમાં દારૂની બોટલ સાથે યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો છે. વીડિયોમાં કેટલાક યુવકો નદીમાં નાહતા જોવા મળી રહ્યા છે અને તેમની પાસે દારૂની બોટલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સામે આવતા જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. જૈન સમાજના આગેવાનોએ આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પવિત્ર ધાર્મિક સ્થળ સાથે જોડાયેલા વિસ્તારમાં આવી ઘટના સામે આવતા લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જોકે, TV9 આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.

  • 28 May 2026 07:26 AM (IST)

    અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે

    કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. સવારે 11 વાગ્યે ગાંધીનગરના વડસરમાં જેડવા ગામ તળાવ અને કવિ નર્મદ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ ખાત્રજ ખાતે તળાવ બ્યુટિફિકેશનના કામનું ખાતમુહૂર્ત કરશે તેમજ કલોલના મોટી ભાયણ ગામે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે. બપોરે ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યા બાદ સાંજે સોલા સ્થિત ઉમિયાધામ પરિસરમાં હોસ્ટેલનું ઉદ્ઘાટન કરશે. દિવસના અંતે સર્કિટ હાઉસ ખાતે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાશે.

આજે 28 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:26 am, Thu, 28 May 26

Follow Us