
અમીરગઢ તાલુકાના વિવિધ રસ્તાઓનું ખાતમુહર્ત મંત્રી કરે તે પહેલા કોંગ્રેસના ધરાસભ્યએ કર્યું ખાત મુહર્ત. આજે વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી અમીરગઢ તાલુકાના કપાસિયા અને સરોતરાના રસ્તાનું ખાત મહુર્ત કરવાના હતા. મંત્રી ખાત મુહર્ત કરવા આવે તે પહેલા જ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ખાત મહુર્ત કર્યું. જે રસ્તાઓ 60 વર્ષથી બનેલા છે તે રસ્તાઓનું રી સરફેશ માટેના કામનું ખાત મહુર્ત મંત્રી દ્વારા કરવામાં આવે તે પહેલા મે વહેલી સવારે 3 જગ્યાઓ પર ખાત મુહર્ત કર્યું તેમ કાંતિ ખરાડીએ જણાવ્યું હતું. મારા વિસ્તારમાં મંત્રીએ મારી અવગણના કરી એટલે એક ધારાસભ્ય તરીકે મેં ખાતમુહર્ત કર્યું. અંબાજીના પાડલીયાની ઘટના અને ડીસા બ્લાસ્ટની ઘટનામાં ક્રાંતિ ખરાડીએ મંત્રી પ્રવીણ માળી પર લગાવ્યા આરોપ. પ્રવીણ માળી ખાતમુરત કરવાના છે એ જગ્યાએ કાંતિ ખરાડી જઈ અને વિરોધ કરે તેવી શક્યતાઓ પોલીસ અટકાયત કરે તેવી શક્યતાઓ.
સુરતમા દીકરી અને પુત્રે સાથે મળી માતાની પ્રોપર્ટી વેચી સુરતમાં મકાન લઈ વૃદ્ધ માતાને માનસિક ત્રાસ આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વાલક ગ્રીનવેલી રેસિડેન્સીમાં પોતાની દીકરી સાથે રહેતા હતા. માતાને વારંવાર અપશબ્દો કહીને અપમાનિત કરતી હતી દીકરી. આ ઉપરાંત દીકરી તેના ભાઈઓ સાથે મળી માતાની તમામ મિલકત પણ સરખા ભાગે લખાવી લીધી હતી. સગી દીકરી એ જ માતાને પ્રોપર્ટી વગરની કરીને હેરાન પરેશાન કરી મૂક્યા. દીકરીના ત્રાસથી અલગ રહેવા માટે માતાએ, સુરત સ્થિત વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. વૃદ્ધાની પ્રોપર્ટીમાંથી ભાઈ-બહેને મકાન લીધા અને મકાનના ભાડાના પૈસાથી તેઓ પોતાનો ગુજરાત ચલાવતા પરંતુ માતાને સરખી રીતે સાચવતા ન હતા. વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ માતાને લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય આપ્યો છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, આજે રવિવારે તેમના મતવિસ્તાર ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેઓ દિવસના અંતે શેલા ખાતે આવેલ સંસ્કારધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત્સવમાં ખાસ હાજરી આપશે.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah ના અમદાવાદમાં આયોજિત વિવિધ કાર્યક્રમો
તારીખ: 28 ડિસેમ્બર, 2025 – રવિવાર
લાઈવ નિહાળો:
* https://t.co/dSqhPS9V6b
* https://t.co/k3tr0NavcC
* https://t.co/gDXaSM7RFO pic.twitter.com/FxRNo5lPBI— BJP Gujarat (@BJP4Gujarat) December 27, 2025
કચ્છના ભચાઉના વોંધ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મિની બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ મિની બસમાં ભયાનક આગ લાગી હતી. મિની બસમાં સવાર 14 મુસાફરોને બચાવી લેવાયા છે.
ભચાઉ ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ કાબુમાં લીધી હતી.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ, ગઈકાલ શનિવારે મોડી રાત્રે, પ્રદેશ સંગઠનના માળખાની જાહેરાત કરી હતી. ગુજરાત ભાજપના નવા સંગઠન માળખામાં જૂના ચહેરાની બાદબાકી કરી છે.
પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
સંગઠનમાં નવી જવાબદારી મેળવનાર પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તથા પ્રદેશ મોરચાના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને હૃદયપૂર્વક… pic.twitter.com/5EKCXWj3FP
— Jagdish Vishwakarma (@J_I_Vishwakarma) December 27, 2025
આજે 28 ડિસેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:17 am, Sun, 28 December 25