ડાયરામાં આ ટિપ્પણી બાદ ગાયક કલાકાર રાજભા ગઢવીએ વીડિયો જાહેર કરી માફી પણ માગી હતી. ગાયક કલાકારે માફી માગતો વીડિયો બનાવ્યો પરંતુ ડાંગના લોકો સહિત ડાંગના સાંસદ આ માફીને માત્ર ગોળ-ગોળ વાતો ગણાવી રહ્યા છે. સાથે ભવિષ્યમાં કોઈપણ સમાજ કે ધર્મ પર ટિપ્પણી નહીં કરેની બાંહેધરી માગી રહ્યા છે ત્યારે હવે એ જોવું રહ્યું કે રાજભા ફરી માફી માગે છે કે પછી ડાંગની જનતા તેમને માફ કરી દેશે.
મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં નવ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી બેની હાલત નાજુક છે. આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી. મુંબઈથી ગોરખપુર જતી ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર પહોંચી ત્યારે ટ્રેનમાં ચઢવાની ઉતાવળમાં નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં અનેક મુસાફરો ઘાયલ થયા હતા. આ તમામ મુસાફરોને સારવાર માટે ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભાવનગર મહાનગરપાલિકામાં આસપાસના અનેક ગામો ભેળવવામાં આવ્યાં છે.. જેના માટે વર્ષ 2023-24માં રાજ્ય સરકારે 21 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આઉટ ગ્રોથ એરીયા માટે ફાળવી હતી. દોઢ વર્ષ છતાં અત્યાર સુધી ગ્રાન્ટનો વપરાશ થયો નથી. 18 કામ મંજૂર કરાયા પણ એમાંથી પણ 5 કામના હજુ પણ ઠેકાણા નથી. ગામના લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવાના વચનો માત્ર પોકળ સાબિત થયા. પ્રજા તો હાલ પણ સુવિધાઓથી વંચિત છે.
ભાવનગર મનપાએ 200 કરોડની ઉપલબ્ધ ગ્રાન્ટ સામે 385 કામોના આયોજન કરી સરકારમાં મોકલ્યા. જે અંતર્ગત ભેળવવામાં આવેલા ગામોના વિકાસ માટે 51 કરોડના કામ મોકલ્યાં. જોકે અગાઉ 18 કામ માટે જે 21 કરોડની ગ્રાન્ટ ફાળવી એ કામ હજુ પણ બાકી છે.
28 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. પીએમ મોદીની સાથે સ્પેનના પીએમ પણ વડોદરાની મુલાકાત લેવાના છે. બંને દેશના પ્રધાનમંત્રીના આગમનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારતના તિરંગા અને સ્પેના રાષ્ટ્ર ધ્વજથી વડોદરાના અનેક માર્ગોને શણગારવામાં આવ્યા છે. હેરિટેજ ઈમારતો અને લાઈટ્સના માધ્યમથી બંને દેશોની મિત્રતા દર્શાવાઈ છએ. રાજમાર્ગો પર રંગબેરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે.
રાજ્યના અન્ય સમાચારોની વાત કરીએ તો
આંતરરાષ્ટ્રીય સમાચાર