ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. મોડી રાત્રે તબિયત લથડતા તેમને દિલ્લી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ 3 દિવસના રિમાન્ડ પર છે. શરાબ ગોટાળા કેસમાં CBIએ તેમની ધરપકડ કરી હતી. 29 જૂને તેમને કોર્ટમાં રજૂ કરાશે. લોકસભા ચૂંટણી પરિણામો બાદ પ્રથમવાર ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી મળશે. 4 અને 5 જુલાઈએ સાળંગપુરમાં બેઠક મળશે , મોટા ફેરફારની શક્યતા છે. તો આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ઉત્તર ગુજરાત સ્થિત સ્ટીલ અને કોપરની રોલીંગ મીલ પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. બોગસ બીલના આધારે કરચોરી કરતા ત્રણની ધરપકડ કરવામાં આવી છે. અરવિંદ વિઠ્ઠલભાઇ પટેલ, જાસ્મીન લક્ષ્મણ પટેલ અને કૃપેશ રમેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. અલગ અલગ 9 રોલીંગ મીલ-પેઢીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 392.82 કરોડના બોગસ બિલના આધારે 70.71 કરોડની કરચોરી કરી હોવાનુ સામે આવ્યું છે. અરવિંદ અને જાસ્મીનની બે જુલાઇ સુધીના અને કૃપેશ પટેલના ત્રણ જુલાઈ સુધીના રીમાન્ડ મંજુર કરાયા છે. આગળની તપાસમાં વધુ કરચોરી ખુલવાની આશંકા સેવાઈ રહી છે.
બનાસકાંઠાના વડગામ તાલુકા સહીત છાપીમાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા બજારોમાં પાણી ભરાયા હતા. ણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ને ચાલવામાં મુશ્કેલી સર્જાઈ હતી. જો કે ભારે ઉકળાટ બાદ વરસેલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી હતી.
રાષ્ટ્રપતિના સંબોધન પર લોકસભામાં 21 કલાકની ચર્ચા નક્કી કરવામાં આવી છે. જેમાં ભાજપને 8 કલાકનો સમય આપવામાં આવ્યો છે. અનુરાગ ઠાકુર લોકસભામાં ભાજપ વતી રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવની ચર્ચાની શરૂઆત કરશે. બીજી તરફ, ઈન્ડિ એલાયન્સમાં સામેલ પક્ષો NEET પર ચર્ચાની માંગ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો NEET પર ચર્ચાની મંજૂરી નહીં મળે તો વિપક્ષ વિરોધ પ્રદર્શન કરશે.
ગોધરા NEET કેસના ચાર આરોપીઓની કસ્ટડી મેળવવા CBI દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. ગોધરા પોલીસે ઝડપેલ 5 આરોપીઓ પૈકી ચાર આરોપીઓની કસ્ટડી CBI મેળવશે. ગોધરા પોલીસે કરેલી તપાસ ઉપરાંતના મુદ્દાઓની તપાસ માટે
CBI, આ કેસમાં ઝડપાયેલા આરોપીની કસ્ટડી મેળવશે.
વાઘોડિયા પાસેની પારૂલ યુનિવર્સિટીમાં બી ટેકમાં ભણતા વિદ્યાર્થીએ ગળાફાસો ખાઈને આપઘાત કર્યો છે. પારુલ યુનિવર્સિટીના અટલ ભવન હોસ્ટેલના રૂમમાં વર્ધમાન યોગેશ ભાઈ પટેલ નામના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક વિદ્યાર્થી પારૂલ યુનિવર્સિટીમાં બી ટેકના પાંચમા સેમિસ્ટરમાં અભ્યાસ કરતો હતો.
પાકિસ્તાનમાં ભારે ગરમીના કારણે 6 દિવસમાં 568 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ મંગળવારે આકરી ગરમીને કારણે એક જ દિવસમાં 141 લોકોએ જીવ ગુમાવ્યા છે.
કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસતા બજારમાં પાણી વહ્યા હતા. ભારે વરસાદના પગલે નખત્રાણા અંદરથી પસાર થતા વોકળામાં ભારે પાણી આવ્યા છે. જે નખત્રાણાના બજારમાં ફરી વળ્યા હતા. નખત્રાણાની મુખ્ય બજારમાં પાણી ફરી વળતા, બસ સ્ટેશન પાસેના વોકળામાં બાઇક તણાઈ હતી. જો કે બાઈક ચાલકને બચાવી લેવાયો હતો.
સીબીઆઈએ પહેલા મનીષ પ્રકાશને પૂછપરછ માટે પટના બોલાવ્યા અને પછી પૂછપરછ દરમિયાન તેની ધરપકડ કરી. સીબીઆઈએ મનીષની પત્નીને ફોન દ્વારા ધરપકડની સત્તાવાર માહિતી આપી હતી. સીબીઆઈએ આ કેસમાં અત્યાર સુધીમાં 6 એફઆઈઆર નોંધી છે.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના કેશોદ સીમ વિસ્તારમાં વીજળી પડતા શ્રમિકનુ મોત થયું છે. 50 વર્ષના બાલુભાઈ આવડ વાડીમાં કામ કરતા સમયે વીજળી 6ાટકી હતી. મૃતકનો મૃતદેહ પીએમ અર્થે ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયો છે.
વડોદરા હરણીકાંડ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ. રાજ્ય સરકાર ગઠિત તપાસ સમિતિના અહેવાલ સામે કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી. હાઇકોર્ટે કહ્યુ તપાસ સમિતિ મ્યુ. કમિશનરને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેમ લાગે છે. શું સહી કરતા પહેલા કમિશનર ની કોઈ જવાબદારી નક્કી નથી હોતી ? જો આમ જ ચાલતું રહ્યું તો આપણે સૌ મોટી મુશ્કેલીમાં મુકાઈશું. જો આજ અંતિમ રિપોર્ટ છે તો પ્રિન્સિપાલ સેક્રેટરી મુશ્કેલીમાં મુકાઇ શકે છે.
કચ્છઃ માંડવી, ભૂજ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. માંડવીના નાની ખાખર, રતડીયા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભૂજ નજીકના ગામોમાં પણ વરસાદથી કચ્છી માડુઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગરઃ બળદગાડું તણાતા બાળકનું મોત થયુ છે, પાંચનો બચાવ થયો છે. કાલાવડ તાલુકાના ડેરી ગામમાં આ ઘટના બની છે. ભારે વરસાદમાં એકાએક પાણી આવી જતા બળદગાડું તણાયું છે.
બે મહિલા સહિતના અન્ય પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. કાલાવડ ફાયર બ્રિગેડે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને એઈમ્સમાંથી રજા આપવામાં આવી છે. બુધવારે રાત્રે તેમની તબિયત બગડતાં તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જામનગરઃ કાલાવડ તાલુકામાં વીજળી પડતા ખેત શ્રમિકનું મોત થયુ છે. મકરાણી સણોસરા ગામમાં વીજળી પડતા ઘટનાસ્થળ પર જ મોત થયુ છે. ખેતરમાં મજૂરી કરતી વખતે તેમના પર વીજળી પડી હતી. ખેતમજૂરનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કચ્છઃ મુન્દ્રાની શાળામાં 13 બાળકોને ડિહાઇડ્રેશન થતાં તબિયત લથડી હતી. સી. કે. એમ. શાળાના 13 જેટલા બાળકોને ગરમીની અસર થઇ. અતિશય ઉકળાટના કારણે બાળકોને ડિહાઇડ્રેશન થયુ છે. બાળકોને પ્રથમ સરકારી ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તમામ બાળકોની તબિયત હાલ સ્થિર છે.
ગોધરા નીટ કેસની CBI તપાસનો આજે ચોથો દિવસ છે. ગોધરા સર્કિટ હાઉસ ખાતે જ CBIની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. 16 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીઓના નિવેદન લેવાની કામગીરી હાથ ધરાઈ. CBIએ વિદ્યાર્થીઓના નિવેદન લેવાની કામગીરી હાથ ધરી છે. કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા લોકોની પણ પુછપરછ હાથ ધરાઇ છે.
અમરેલી: લાઠી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ ખાબકતા બજારો પાણી પાણી થયા છે. સતત વરસતા વરસાદથી લાઠી પંથકના ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટી તંત્ર એક્શનમાં છે. 8 જિલ્લામાં NDRFની એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. અતિભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા આ નિર્ણય લેવાયો છે. 8 જિલ્લામાં વરસાદ ખાના ખરાબી સર્જે તો NDRF મોરચો સંભાળી શકશે.
રાજકોટ: પંચાયત ચોકના હેવલોક એપાર્ટમેન્ટમાં બાળકી પર લિફ્ટ તૂટી બાળકી તેનું મોત થયુ છે. મેરીના કાર્કી નામની 3 વર્ષની બાળકીનું લિફ્ટ પડતા મોત થયુ છે. પાર્કિંગમાં લિફ્ટનો દરવાજો ખુલો હોવાથી બાળકી અંદર જતા લિફ્ટ માથે પડી હતી. બાળકીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમના સંબોધનમાં પેપર લીકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ‘સરકાર પેપર લીકની ઘટનાઓની નિષ્પક્ષ તપાસ કરવા અને દોષિતોને કડક સજા આપવા માટે પ્રતિબદ્ધ છે. અગાઉ પણ ઘણા રાજ્યોમાં પેપર લીકની ઘટનાઓ બની છે. પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને આ મુદ્દે દેશવ્યાપી નક્કર પગલાં લેવાની જરૂર છે.
President #DroupadiMurmu says, “It is a continuous effort of the Government to ensure that the youth of the country gets adequate opportunity to display their talent…My government is committed to a fair investigation of the recent incidents of paper leaks as well as stringent… pic.twitter.com/kGMHKURbdm
— Tv9 Gujarati (@tv9gujarati) June 27, 2024
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, મારી સરકાર અર્થવ્યવસ્થાના ત્રણેય સ્તંભો – ઉત્પાદન, સેવાઓ અને કૃષિને સમાન મહત્વ આપી રહી છે. PLI યોજનાઓ અને વ્યવસાય કરવાની સરળતા મોટા પાયે રોકાણ અને રોજગારની તકો વધારી રહી છે. પરંપરાગત ક્ષેત્રોની સાથે, સૂર્યોદય ક્ષેત્રોને પણ મિશન મોડ પર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યુ કે આ ચૂંટણીમાં મહિલાઓએ વધુ મતદાન કર્યુ છે. તેમણે દેશમાં સફળ ચૂંટણી યોજવા બદલ ચૂંટણી પંચને અભિનંદન પાઠવ્યા હતા અને દેશવાસીઓ વતી ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સરકાર ભારતને વિશ્વને ત્રીજા નંબરની ઇકોનોમી બનાવવા માટે લાગેલી છે. વિશ્વના વિકાસમાં ભારતનો 15 ટકા હિસ્સો છે. આજે ભારત દરેક ક્ષેત્રે તેજ ગતિથી આગળ વધી રહ્યુ છે. તેમણે જણાવ્યુ કે આગામી દિવસોમાં મારી સરકાર બજેટ રજૂ કરવા જઇ રહ્યુ છે.
On behalf of crores of countrymen, I would like to express gratitude Election Commission of India. This was the biggest election in the world…Decades-long records of voting have been broken in J&K: President #DroupadiMurmu #TV9Gujarati pic.twitter.com/PgQBsbttNt
— Tv9 Gujarati (@tv9gujarati) June 27, 2024
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું સંસદ ભવનમાં અભિભાષણ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિએ 18મી લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યોને અભિનંદન આપીને સંબોધનની શરૂઆત કરી હતી. રાષ્ટ્રપતિએ નવા ચૂંટાયેલા સ્પીકર ઓમ બિરલાને પણ અભિનંદન પાઠવ્યા હતા અને ચૂંટણી સુરક્ષિત રીતે યોજવા બદલ ચૂંટણી પંચનો આભાર માન્યો હતો. તેમણે કહ્યુ કે, લોકસભા 2024ની ચૂંટણીની વિશ્વભરમાં ચર્ચા છે. લોકોએ ત્રીજી વાર આ સરકાર પર ભરોસો કર્યો છે. દેશના લોકોને સરકાર પર પૂર્ણ વિશ્વાસ છે.
President Droupadi Murmu addresses a joint session of both Houses of Parliament, congratulates all newly-elected MPs.
#TV9Gujarati pic.twitter.com/Kx3EowmZ6E
— Tv9 Gujarati (@tv9gujarati) June 27, 2024
સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓ સાવધાન થઈ જજો. આજે મેઘરાજા સાંજ સુધીમાં તોફાની બેટિંગ બોલાવી શકે છે. મેઘરાજા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ઓળઘોળ વરસી શકે છે. કેટલાય તાલુકાને મેઘરાજા જળતરબોળ કરી શકે છે. દરિયાકાંઠાના જિલ્લામાં પણ જોરદાર વરસાદી માહોલ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.
સુરત: સામાન્ય સભામાં કોર્પોરેટરોના એકબીજા પર તોડપાણીના આક્ષેપો થયા છે. કનુ ગેડિયાએ કહ્યુ વિપક્ષ નેતાએ ગેરકાયદે બાંધકામના 11 લાખ માંગ્યા હતા. ગેડિયાના આરોપ સામે વિપક્ષે કહ્યું કે પુરાવા હોય તો કેસ કરો. સુરત મનપાની સામાન્ય સભામાં આરોપો બાદ હોબાળો મચ્યો છે. સિલીંગની કામગીરીથી શરૂ થયેલી રજૂઆત બાદ સામાન્ય સભામાં હોબાળો થયો હતો.
અમદાવાદઃ બેફામ ડમ્પર ચાલકે RPF જવાનને અડફેટે લીધો છે. કાંકરીયા અનુપમ બ્રિજ નજીક અકસ્માત સર્જાયો છે. ડમ્પરની અડફેટે આવતા RPF જવાન ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. ડમ્પર નીચે આવી જતા કર્મચારીનો ડાબો પગ કપાયો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતો પર મેઘરાજા મહેરબાન થયા છે. મોરબીના ટંકારામાં સૌથી વધુ પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જામનગરમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જામનગરમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. કોડીનાર અને ગોંડલમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. દાંતા, જેતપુર, જૂનાગઢ, કાલાવાડમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના પણ અમુક તાલુકામાં વરસાદ વરસ્યો છે.
અમદાવાદમાં વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી છે. અમદાવાદમાં આજે ભારે પવન ફૂંકાઇ શકે છે. ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી છે.
દક્ષિણ આફ્રિકાએ સેમીફાઈનલમાં અફઘાનિસ્તાનની આશા તોડી છે, પ્રથમ વખત ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો.
#T20WorldCup2024 | South Africa enter the finals, beat Afghanistan by 9 wickets in Semi Final 1.#T20WorldCup2024 #T20WC2024 #Cricket #SAvsAFG #Afghanistan #SouthAfrica #TV9Gujarati
— Tv9 Gujarati (@tv9gujarati) June 27, 2024
જામનગરઃ કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખરેડી, નપાણીયા ખીજડિયા, પીપર, નાના વડાલામાં વરસાદ ખાબક્યો છે. કાલાવડના ખરેડી ગામમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે ખરેડી ગામ બેટમાં ફેરવાયું છે. ખરેડી ગામમાં ગોઠણ સમાં પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી છે. ભારે વરસાદને પગલે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે.
પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. મોડી રાત્રે તબિયત લથડતા દિલ્લીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. AIIMSમાં યુરોલોજી વિભાગની દેખરેખમાં સારવાર હેઠળ
અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 96 વર્ષિય લાલકૃષ્ણ અડવાણીની તબિયત સ્થિર છે.
અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1ના રસ્તા પર ભૂવો પડ્યો છે. મેટ્રો ટ્રેન શરૂ થાય તે પેહલા રસ્તા પર ભૂવા પડ્યા છે. ગાંધીનગર સેકટર-1 મેટ્રો સ્ટેશન નીચે રસ્તા પર તીરાડો પડી છે. એક બાજુનું ડિવાઈડર બેસી જતા અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. રોડના નિર્માણ બાદ રોડ વચ્ચે તીરાડ જોવા મળી છે.
Published On - 7:19 am, Thu, 27 June 24