આણંદ: બોરસદ કોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. વિદ્યાર્થિનીને માર મારવાના કેસમાં શિક્ષિકાને એક વર્ષની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો છે. બોરસદના એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ચૂકાદો આપ્યો છે. બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં માર્ચ 2024માં ઘટના બની હતી. ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષિકાએ માર માર્યો હતો. શિક્ષિકા સંગીતા પઢિયાર વિરુદ્ધ બોરસદ પોલીસમાં ગુનો નોંધાયો હતો.
બોટાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પાળીયાદ,બોડી,પીપરડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ટાવર રોડ, હવેલી ચોક સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. કપાસના પાકને મોટું નુકસાન થઈ શકે છે.
પંચમહાલ: ગોધરાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદને લીધે કેટલાંક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
લાંબા વિરામ બાદ દાહોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે ભારે પવન સાથે મેઘરાજા ભરપૂર વરસ્યા છે. વીજળીની કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા વીજળી ગુલ થઈ ગઇ. દાહોદ, સિંગવડ નગર, લીમડી, મીરાખેડી સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ વરસ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના કાર્યકરો સાથે વાત કરવા માટે આજથી બે દિવસીય મહારાષ્ટ્રની મુલાકાતે છે. શાહ નાગપુર અને છત્રપતિ સંભાજીનગર (અગાઉના ઔરંગાબાદ)માં પાર્ટીના અધિકારીઓને મળશે, ત્યારબાદ 25 સપ્ટેમ્બરે નાસિક અને કોલ્હાપુરમાં વાતચીત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય યુ.એસ.ની મુલાકાત પૂર્ણ કર્યા બાદ દિલ્હી જવા રવાના થયા હતા, તેમણે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ક્વોડ લીડર્સ સમિટ અને સમિટ ફોર ધ ફ્યુચર (SOTF)માં હાજરી આપી હતી. આ સાથે તેમણે તેમની મુલાકાત દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી.
#WATCH | Prime Minister Narendra Modi departs for Delhi after the conclusion of his 3-day visit to USA
During his three-day visit, he attended the QUAD Leaders’ Summit and the Summit of the Future (SOTF) at the United Nations in New York. Along with that, he held some key… pic.twitter.com/XpLlq9rEgS
— ANI (@ANI) September 24, 2024
UNની મહાસભામાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું, શાંતિ અને વિકાસ માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા થાય. આતંકવાદને ગંભીર ખતરો ગણાવ્યો. દાહોદનાં તોરણીમાં બાળકીની હત્યાનો આરોપી આચાર્યને 4 દિવસના રિમાન્ડ પર મોકલાયો છે. વકીલોએ આરોપીનો કેસ ન લડવાની જાહેરાત કરી. દાહોદની ઘટના પર રાજનીતિ ગરમાઈ. કોંગ્રેસે દીકરીઓની સુરક્ષા માટે સમિતી નીમવાની માગ કરી. તો પ્રફૂલ પાનસેરિયાએ ઝડપી ન્યાયની ખાતરી આપી. સુરતમાં રેલવે લાઈનના પેડલોડ કાઢનારો રેલવેનો જ કર્મચારી નીકળ્યો. પ્રમોશન મેળવવા જાતે જ ઘટનાને ઉપજાવી કાઢી. રાજકોટમાં 756 પશુના મોત પર રાજનીતિ ગરમાઈ. માલધારી સમાજે કોર્પોરેશન સામે સવાલ ઊભા કર્યા, તો સ્ટેન્ડિંગ કમિટીએ લૂલો બચાવ કર્યો. સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 138.02 મીટર થઇ. જળસ્તર સંપૂર્ણ સપાટીથી માત્ર 66 સેન્ટીમીટર દૂર છે.