રાજકોટ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કુંવરજી બાવળીયાએ ચોમાસુ ખેચાતા ખેડૂતોની ચિંતા અંગે જણાવ્યું કે, મુખ્ય પ્રધાને ગત કેબિનેટમાં સૌની યોજનાનું પાણી પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. જે મુજબ હાલમાં નર્મદાનું પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં તમામ ડેમમાં આગામી 1 કે, 2 દિવસમાં પાણી પહોંચશે.
રાજકોટના રૈયા રોડ પર પુરપાટ ઝડપે આવેલી કારે વાહનોને લીધા અડફેટે. રૈયા રોડ પર પૂરપાટ ઝડપે આવેલી કારએ એક સ્કૂટર સહિત બે વાહનોને મારી ટક્કર. સ્કૂટર ચાલકને ગંભીર પ્રકારની ઇજાઓ થતા સારવરા અર્થે હોસ્પિટલમાં ખસેડાયો. પૂરપાટ ઝડપે ધસી આવેલ વર્ના કરે બે થી ત્રણ વાહન ચાલકોને હડફેટે લઈ ભાગવા જતાં સર્જાયો અકસ્માત. પૂરપાટ ઝડપે સ્પીડબેકર ઠેકાડ્યું લોકોના ટોળા ઉમટી પડ્યા. કાર સગીર ચલાવતો હોવાની પ્રાથમિક હકીકત સામે આવી.
રાજકોટમાં ગોંડલ જામવાડી જીઆઇડીસીમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે. મસાલામાં ભેળસેળ ની શંકાએ 1.90 કરોડનો જથ્થો સીઝ કરાયો છે. બે દિવસ પહેલા પણ જામવાડી જીઆઇડીસીમાં આવેલ સત્યમ મસાલાની ફેક્ટરીમાં ફૂડની ટિમેં દરોડા કર્યા હતા. મિસરી સ્પાઈસીસ નામની કંપનીમાંથી 79,900 કિલો મસાલો અને લોટ જપ્ત કર્યો હતો. મસાલા અને લોટના નમૂના પરીક્ષણ માટે લેબમાં મોકલાયા હતા. મોટા પ્રમાણમાં લાયસન્સ વગરના મસાલાનું વેચાણ થતું હતું. મસાલામાં ધાણાનો પાવડર, ચોખાનો લોટ, મરચાનો પાવડર, મકાઈનો લોટ, હળદળ અને પામતેલનો જથ્થો સીઝ કરાયો છે.
ગુજરાતમાં શનિવાર 20 જૂનના રોજ સવારના છ વાગ્યાથી 21 જૂન રવિવાર સવારના 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં, 6 જિલ્લાના 9 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વઘુ વરસાદ અમરેલીમાં 41 મિ.મી. નોંધાયો છે.
અમદાવાદનો એસ જી હાઈવે વધુ એકવાર બન્યો જીવલેણ. પકવાન ઓવરબ્રિજ પર અકસ્માતમાં 1નું મોત થયું છે. અજાણ્યા વાહનની ટક્કરે ઘટનાસ્થળે જ મોત થયું છે. પોલીસ દ્વારા બ્રિજ પર ડાઈવર્ઝન આપી કામગીરી કરાઈ છે.
તથ્ય જેવી ઘટના ના બને તે માટે પોલીસ દ્વારા કરાઈ વ્યવસ્થા. શબવાહિની દ્વારા હાલ મૃત શરીરને હટાવવાની કામગીરી કરવામાં આવી છે.
અમદાવાદ ફાયર વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં આવેલ 8 હોટલને સીલ કરવામાં આવી છે. સીલ કરાયેલ હોટલમાં હોટેલ નીલકંઠ મોટેરા, ચાંદખેડા, હોટેલ ફિલિપ્સ મોટેરા, ચાંદખેડા, હોટેલ સનસ્ટાર ઇન શિવ શક્તિ નગર બસ સ્ટેન્ડની સામે, ચાંદખેડા, કહાની પ્રોગ્રેસિવ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ સ્નેહ પ્લાઝા, ચાંદખેડા. હોટલ આરામ ઓર્કિડપાલડી મ્યુઝિયમ સામે, પાલડી, હોટલ આરકે રીજન્સી, એવરોન હોસ્પિટલની બાજુમાં નારણપુરા. હોટલ ગ્રીન ફોરચ્યુન, સરદાર પટેલ કોલોની નારણપુરા, હોટલ પેસિફીક એમ્પાયર, સરદાર પટેલ કોલોની નારણપુરા અમદાવાદનો સમાવેશ થાય છે.
જામનગરમા કુવામાંથી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ખંભાળીયા હાઇવે પર આવેલ ટી-પોસ્ટની સામે અવાવરું જગ્યા પાસે આવેલ કુવામાંથી મહિલાની લાશ મળી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક વાડી વિસ્તારના લોકોએ ફાયર અને પોલીસને જાણ કરી હતી. જામનગર ફાયર વિભાગ દ્વારા મહિલાની લાશને કુવામાંથી બહાર કાઢવામાં આવી. હાલ સમગ્ર મામલે જામનગર શહેર પોલીસ દ્વારા મહિલાની લાશની ઓળખ અંગે તપાસ હાથ ધરી છે. મહિલા કુવામા કેવી રીતે પડી અને આ બનાવનું કારણ શું છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસનો ઘમધમાટ શરુ.
પંચમહાલના ગોધરાના ઝુડિયો શો રૂમ પાસે કારમાં ભીષણ આગ લાગી હતી. પાર્ક કરેલી એક સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોધરાના વાવડી વિસ્તારમાં આવેલ ઝુડિયો શોરૂમની બહાર આ ઘટના બની હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
આજે 21 જૂનને રવિવારના રોજ, 12મો વિશ્વ યોગ દિવસ છે. આ સાથે આજે વિશ્વમાં ફાધર્સ ડેની પણ ઉજવણી કરાઈ રહી છે. ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:23 am, Sun, 21 June 26