16 ઓગસ્ટના મહત્વના સમાચાર : સાસણગીર નજીકના રિસોર્ટમાં જૂગાર રમતા અમદાવાદના 9 ઝડપાયા

Gujarat Live Updates આજ 16 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

16 ઓગસ્ટના મહત્વના સમાચાર : સાસણગીર નજીકના રિસોર્ટમાં જૂગાર રમતા અમદાવાદના 9 ઝડપાયા
| Updated on: Aug 16, 2026 | 9:12 AM

LIVE NEWS & UPDATES

  • 16 Aug 2026 09:11 AM (IST)

    સાસણગીર નજીકના રિસોર્ટમાં જૂગાર રમતા અમદાવાદના 9 ઝડપાયા

    ગીર સોમનાથના સાસણ ગીર નજીક ભોજદે ગામે LCBએ સપાટો બોલાવ્યો છે. ખાનગી રિસોર્ટમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ગીર LCBએ રિસોર્ટ પર દરોડો પાડ્યો હતો. અમદાવાદના 9 જુગારીઓ સહિત રિસોર્ટ મેનેજરની અટકાયત કરવામાં આવી છે. દરોડામાં આશરે 2 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. રોકડ સહિત કુલ 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

     

     

  • 16 Aug 2026 08:47 AM (IST)

    આજથી સીએમ ભૂપેન્દ્ર પટેલ US – CANADAની મુલાકાતે

    આજથી સીએમ ભૂપેન્દ્ર પટેલ US – CANADAની મુલાકાતે રવાના થયા છે. વહેલી સવારે પ્રતિનિધિ મંડળ સાથે US જવા થયા રવાના. રાજ્યના મુખ્ય સચિવ, CMOના અધિકારી, ઇન્ડસ્ટ્રી વિભાગના અધિકારીઓ સહિત 30 લોકોનું ડેલીગેશન USની મુલાકાતે રવાના થયા છે.


  • 16 Aug 2026 08:05 AM (IST)

    પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની 8મી પુણ્યતિથિએ રાજકીય મહાનુભાવોએ પાઠવી અંજલિ

    ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીને તેમની આઠમી પુણ્યતિથિ પર, રાજકીય અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પીએમ મોદીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે અટલજીના નેતૃત્વએ દેશને મજબૂત બનાવ્યો. પેઢીઓ તેમના વિચારોથી પ્રેરિત રહી છે. અટલજી એક પ્રભાવશાળી વક્તા અને સ્વપ્નદ્રષ્ટા રાજનેતા હતા. સમગ્ર રાષ્ટ્ર ભારત રત્ન અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

  • 16 Aug 2026 07:38 AM (IST)

    મ્યાનમારમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.5 તીવ્રતા

    મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે 16 ઓગસ્ટને રવિવારના રોજ સવારના 6:30 વાગ્યે આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી.

  • 16 Aug 2026 07:25 AM (IST)

    વડોદરાના ગોરવા મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસે યુવકનો મૃતદેહ મળ્યો

    વડોદરાના ગોરવા મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસે યુવકનો મૃતદેહ મળ્યો છે. યુવકનો મૃતદેહ બે ટુકડામાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. રેલવે પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. મૃતક અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 16 Aug 2026 07:22 AM (IST)

    લુણાવાડાના કુમાર છાત્રાલયમાં 6 વિદ્યાર્થીઓ ખીચડી ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની થઈ અસર

    મહીસાગરના લુણાવાડાના કુમાર છાત્રાલયમાં 6 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. લુણાવાડાના ચાર કોશીયા નાકા પાસે આવેલી બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં ખીચડી ખાધા બાદ 6 વિદ્યાર્થીઓને ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ​આરોગ્ય વિભાગની ટીમે હેલ્થ સ્ક્રીનિંગ દરમિયાન લક્ષણો જણાતા તમામ વિદ્યાર્થીઓને 108 મારફતે તાબડતોબ લુણાવાડા જનરલ હોસ્પિટલ ખસેડ્યા. બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં કુલ 18 જેટલા વિધાર્થીઓ રહે છે, જેમાંથી 6 જેટલા વિધાર્થીઓને ઝાડા ઉલટીની અસર થવા પામી છે. સમયસર સારવાર મળતાં હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે.

આજે 16 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

 

 

Published On - 7:21 am, Sun, 16 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.