એસજી હાઇવે પર નવનિર્મિત 32 માળની ઈમારત ખાતેથી એક ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. 32 માળની ઈમારત ટ્રેમોન્ટ એડલિપ બિલ્ડિંગની ક્રેઈનમાં લટકીને ઓપરેટરે આપઘાત કર્યો છે. રાત્રે ઘરકંકાસને કારણે ઓપરેટરે કર્યો આપઘાત. બાંધકામ સાઈડ પર 150 જેટલા મજૂરો કરે છે કામ. વહેલી સવારે અન્ય મજૂરને ધ્યાને આવ્યું. પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી.
ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ગુજરાતમાં થયો છે. મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) જરૂરી પૂર્વ મંજૂરી વિના જ વિદેશમાં લટાર મારી આવ્યા. આ ઘટનાને લઈને, વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ માટે GADએ વિદેશ પ્રવાસને લઈને માર્ગદર્શિકા બહાર પાડી છે. હવેથી અધિકારીઓએ અંગત વિદેશ પ્રવાસ માટે પૂર્વ મંજૂરી મેળવવી પડશે. પ્રવાસના 45 દિવસ પહેલા ઓનલાઇન અરજી કરવી પડશે.
પ્રવાસનો હેતુ અને થનાર ખર્ચનો સ્ત્રોત પણ દર્શાવવો પડશે. સ્પોન્સર વિદેશ પ્રવાસ હશે તો સ્પોન્સરરની વિગત પણ આપવી પડશે. સક્ષમ અધિકારીની મંજૂરી સિવાય હવે નહી કરી શકાય વિદેશ પ્રવાસ. અધિકારી સામે ખાતાકીય તપાસ કે અન્ય કાનૂની કાર્યવાહી છે કે તે અંગે પણ મંજૂરી માટેની અરજીમાં કરવો પડશે ઉલ્લેખ.
બનાસકાંઠામાંથી એસઓજીએ એક ઝોલાછાપ ડોકટરને હાથકડી પહેરાવી છે. બનાસકાંઠાના કાંકરેજના ખીમાણા ગામેથી બોગસ ડોક્ટરને Sog એ ઝઢપી પાડ્યો છે. ખીમાણા ગામે ખાનગી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપ્યો. કોઈપણ પ્રકારની ડિગ્રી વિના જયંતિ પરમાર નામનો બોગસ ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. Sog એ બોગસ ડોક્ટર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સુરતના નાસીર નગરમાં વિવાદિત ડિમોલિશનનો મામલો. મ્યુનિસિપલ કમિશનર નાગરાજનની બદલી કરી દેવામાં આવી છે. સુરતના જિલ્લા કલેકટર તેજસ પરમારને, હાલમાં મ્યુનિસિપલ કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે બહાર પાડ્યું નોટિફિકેશન. અગાઉ ગુજરાત હાઇકોર્ટે, નાસીર નગર ડિમોલિશનના મુદ્દે રાજ્ય સરકારને લગાવી હતી ફટકાર. નાગરાજ જનને સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટના ડિરેક્ટરની જવાબદારી સોપવામાં આવી છે.
આજે 12 ઓગસ્ટને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 8:17 am, Wed, 12 August 26