09 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, 3 અને 4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

આજે 09 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

09 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનમાં અનુભવાયા ભૂકંપના ઝટકા,  3 અને 4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો
| Edited By: | Updated on: Sep 09, 2026 | 8:12 AM

LIVE NEWS & UPDATES

  • 09 Sep 2026 08:12 AM (IST)

    અમેરિકા-ઈરાન યુદ્ધથી ક્રુડ ઓઈલમાં ફરી ભડકો, 100 ડોલર નજીક ભાવ

    અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ભડકતા વૈશ્વિક ક્રુડ ઓઈલના ભાવમાં ફરી મોટો ઉછાળો આવ્યો છે. ક્રુડ ઓઈલનો ભાવ 100 ડોલરને આંબી ગયો છે અને ભારતીય ક્રુડ બાસ્કેટનો ભાવ પણ 100 ડોલર પ્રતિ બેરલની આસપાસ રહેવાની સંભાવના છે. ક્રુડના ભાવમાં વધારો થતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં પણ વધારો થવાનો ખતરો ઊભો થયો છે. ભારતની ક્રુડ ઓઈલની આયાત 40.5 અબજ ડોલરથી વધીને 63.4 અબજ ડોલર થઈ છે, એટલે કે આયાત ખર્ચમાં 56 ટકાનો વધારો થયો છે. બીજી તરફ, છેલ્લા ત્રણ મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારત પોતાની જરૂરિયાતના આશરે 88 ટકા ક્રુડ ઓઈલની આયાત વિદેશમાંથી કરે છે, તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ વધવાથી ભારતના આયાત બિલ પર સીધી અસર પડી શકે છે. જો ક્રુડ ઓઈલના ભાવ લાંબા સમય સુધી 100 ડોલર આસપાસ રહે તો પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં વધારાનું દબાણ વધી શકે છે.

  • 09 Sep 2026 07:30 AM (IST)

    અમેરિકાએ ઈરાનના 5 ઓઈલ ટેન્કરોનો નાશ કર્યો

    યુએસ સેન્ટ્રલ કમાન્ડે ટ્વિટ કર્યું, ‘સેન્ટકોમ દળોએ 8 સપ્ટેમ્બરે ઈરાની ક્રૂડ ઓઈલ વહન કરતા પાંચ જહાજોનો નાશ કર્યો હતો. અગાઉ, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ છેલ્લા બે દિવસમાં બે વખત બેલેસ્ટિક મિસાઈલોથી યુ.એસ. પર હુમલો કર્યો હતો. નૌકાદળના યુદ્ધ જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું.યુ.એસ. યુદ્ધ જહાજ સફળતાપૂર્વક ઈરાનના હુમલાઓથી બચી ગયું અને વિસ્તારના પાણીમાં પેટ્રોલિંગ ચાલુ રાખ્યું. કોઈપણ અમેરિકન કર્મચારીઓને કોઈ નુકસાન થયું નથી.


  • 09 Sep 2026 07:26 AM (IST)

    જુનાગઢમાં જળસંકટના એંધાણ! માત્ર 30 દિવસ ચાલે તેટલું જ પાણી

    જુનાગઢમાં વરસાદની અછત વચ્ચે આગામી દિવસોમાં પાણીની કટોકટી સર્જાવાની ભીતિ ઉભી થઈ છે. હસ્નપુર-આણંદપુર ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે, જ્યારે નરસી મહેતા સરોવર પણ તળિયા ઝાટક કરવાની સ્થિતિમાં પહોંચ્યું છે. હાલની સ્થિતિમાં જુનાગઢ શહેરમાં માત્ર 30 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે. આ અંગે મનપાના બાંધકામ સમિતિના ચેરમેન જયેશ બોધરાએ મુખ્યપ્રધાનને પત્ર લખી નર્મદા આધારિત પાણીની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સાથે જ સ્થાનિક ડેમ અને જળાશયોમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે તાત્કાલિક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે.

  • 09 Sep 2026 07:23 AM (IST)

    જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા

    જમ્મુ-કાશ્મીર તેમજ પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. બુધવારે સવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. પાકિસ્તાનમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

આજે 09 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:22 am, Wed, 9 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.