અમદાવાદના આનંદનગર વિસ્તારમાં PGમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મની ઘટના ઘટી છે. ફ્લેટના PGમાં રહેતી યુવતી સાથે સિકયુરિટી ગાર્ડે આચર્યુ દુષ્કર્મ. 1 કલાક સુધી યુવતી સાથે પરપ્રાંતિય ગાર્ડ દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો. ભોગ બનનાર યુવતી મૂળ કચ્છની રહેવાસી હોવાની વિગત સામે આવી છે. ધર્મવીર નામનો પરપ્રાંતિય સિક્યુરિટી ગાર્ડ દુષ્કર્મ આચરી ફરાર થયો. આનંદનગર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહીસાગરમાં નળ સે જળ કૌભાંડમાં વધુ એક કૌભાંડી કર્મચારીની કરાઇ ધરપકડ. 123 કરોડના નળ સે જળ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી. ધરપકડનો આંક પહોંચ્યો 49 પર. CID ક્રાઇમે અત્યારસુધીમાં 49 આરોપીઓની કરી ધરપકડ. તત્કાલીન વાસ્મો કૌભાંડી કર્મચારી ભાવિકકુમાર નવીનચંદ્ર પ્રજાપતિ ખાનપુર તાલુકામાં આસિસ્ટન્ટ ટેક્નિકલ તરીકે બજાવતો હતો ફરજ. ભાવિક પ્રજાપતિએ પોતાના ખાતામાં રૂપિયા 2,86,000 ની લીધી હતી લાંચ.
સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે તેને પાલનપુર ખાતેથી દબોચ્યો. કૌભાંડી તત્કાલીન વાસ્મો અધિકારીઓએ, કોન્ટ્રાક્ટરોએ અને સરપંચોએ વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પર ફેરવ્યું પાણી.
નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ, સુરત જિલ્લા કલેકટરને લેટર લખ્યો પત્ર. જંગલની જમીન ખેડતાં સાગબારાના ખેડૂતોના સમર્થનમાં લખ્યો પત્ર. આદિવાસીના હક માટે સાંસદ મનસુખ વસાવા આજથી બેસશે ધરણા પર. બપોર બાદ સાંસદ મનસુખ વસાવા સહિત અન્ય નેતા પણ ખેડૂતો સાથે ધરણા કરશે. આજે વિશ્વ આદિવાસી દિવસ પર આદિવાસીઓને થતા અન્યાય પર સાંસદ પણ સમર્થનમાં.
જસદણ-વિંછીયા રોડ પર અકસ્માતમાં નાયબ મામલતદારનું મોત થયું છે. સાળંગપુર દર્શન કરીને પરત ફરતાં જલારામ જીન પાસે અકસ્માત સર્જાયો હતો. જીન પાસે કાર ડિવાઈડર સાથે અથડાતાં સર્જાયો ગંભીર અકસ્માત. મૃતક તાલાળા વિસ્તારમાં નાયબ મામલતદારની બજાવતાં હતાં ફરજ. પોલીસે નાયબ મામલતદાર સંજય વડાલીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યોય
અંબાજી નજીક શીતળા માતાની ઘાટી પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. માર્બલના બ્લોક ભરેલા 2 ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત. ઈજાગ્રસ્ત ત્રણેય ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. વહેલી સવારે સર્જાયેલ અકસ્માતમાં જાનહાનિના સમાચાર નહીં. ગુજરાત અને રાજસ્થાન તરફ 2થી 3 કિમીના હાઈવે પર ચક્કાજામ થયો છે. સાંકડા માર્ગ પર વધુ વળાંક વાળા ઢોળાવ હોવાથી અવારનવાર સર્જાય છે અકસ્માત.
મોરબી ખેડૂત મહાસભામાં રાકેશ ટિકૈટે, આંદોલનકારી ખેડૂતોને પ્રોત્સાહીત કરતું એવુ નિવેદન કર્યું હતું કે, મોરબીમાં ખેડૂતો પર લાઠી ચાલશે તો તે જ દિવસે મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ પોલીસ મથકો પર ઘેરાવ કરીને સ્ટેશનને બંધ કરાવાશે. વન નેશન વન ઇલેક્શનની વાત થાય છે તો એક આંદોલન પણ દેશનું વન આંદોલન થશે.
આજે 09 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:15 am, Sun, 9 August 26