સાબરકાંઠાના હિંમતનગરના તખતગઢમાં રામદેવપીરના મંદિરમાં ચોરી થવા પામી છે. તસ્કરો રામદેવપીરનું ચાંદીનું છત્ર અને દાનપેટી લઈને ફરાર થઈ ગયા છે. તસ્કરોએ રાત્રીના સમયે તાળું તોડી ચોરી આચરી છે. મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા છે. થોડા સમય અગાઉ પણ તખતગઢ ગામમાં થઈ હતી ચોરી.
જૂનાગઢ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તેમજ તેમની સાથે રહેલ વ્યક્તિ પર હુમલાનો મામલે અજાણ્યા ત્રણ ઈસમો વિરૃધ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. બક્ષીપંચ મોરચાના પ્રમુખ તેમના મિત્ર સાથે ફોર વ્હીલમા જતા હતા ત્યારે અજાણ્યા ત્રણ ઈસમો બાઈક પર આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ બન્નેને લોખંડના પાઈપ. ઢીકાપાટુ મારી ગંભીર ઈજા પહોચાડી હતી. બન્ને ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદી એ ત્રણ અજાણ્યા ઈસમો વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી. જૂનાગઢ બી ડીવીઝન પોલીસે હાથ ધરી તપાસ.
નાસિકમાં ટીસીએસમાં કથિત ધર્મ પરિવર્તન કેસમાં ફરાર મુખ્ય આરોપી નિદા ખાનની પોલીસે છત્રપતિ સંભાજીનગરથી ધરપકડ કરી છે. આ કાર્યવાહી નાસિક પોલીસ અને છત્રપતિ સંભાજીનગર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બંગાળની મુલાકાત લેશે. તેઓ કોલકાતાની એક હોટલમાં સવારે 10:30 થી 2:50 વાગ્યા સુધી ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ, બપોરે 3:00 થી 5:00 વાગ્યા સુધી, તેઓ બિસ્વા બાંગ્લા કન્વેન્શન સેન્ટરમાં યોજાનાર બેઠકમાં ભાગ લેશે. આ સમય દરમિયાન એક સન્માન સમારોહ પણ યોજાશે.
આજે 08 મેને શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:09 am, Fri, 8 May 26