
આજે 07 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરને પગલે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ પડતા 20 હજાર 888 ક્યુસેક પાણીની આવક થઈ. ઉકાઈ ડેમની જળ સપાટી વધીને 334.57 ફૂટ પર પહોંચી છે. તો ઉકાઈ ડેમના હાઈડ્રો પાવર સ્ટેશનના એક યુનિટ મારફતે 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
કૃષ્ણ જન્મોત્વ પર્વે રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે. છેલ્લા 10 કલાકમાં રાજ્યમાં અનેક તાલુકાઓમાં મેઘરાજાએ જમાવટ કરી છે. રાજ્યના 20 તાલુકામાં અડધાથી સવા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 8 તાલુકાઓમાં 1 ઈંચથી સવા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. ખેડાના કઠલાલમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ડાંગના વઘઈ અને આહવામાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે.
રાજકોટના જેતપુરમાં હાર્ટએટેકથી વધુ એક મોત. લોકમેળામાં હ્રદયરોગનો હુમલો આવતાં યુવતીનું મૃત્યુ. ચકડોળમાં બેઠા બાદ યુવતીને આવ્યા ચક્કર. હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કરી. અગાઉ હાર્ટ એટેકથી યુવકનું થયું હતું મોત.
જી-20 સમિટ માટે રાષ્ટ્રીય રાજધાની સંપૂર્ણ રીતે તૈયાર છે. VVIP હોટેલોથી લઈને ઈવેન્ટ વેન્યુ સુધી તેઓ સંપૂર્ણ રીતે ઝળહળી ઉઠ્યા છે. પ્રગતિ મેદાન ખાતે અત્યાધુનિક ભારત મંડપમ ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં માત્ર દેશોના વડાઓ જ નહીં, પરંતુ વિશ્વભરના મીડિયાકર્મીઓ પણ હાજર રહેશે. આવી સ્થિતિમાં તેમના માટે મંડપમમાં ખાસ મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે.
PM મોદી એ કહ્યું ‘વસુધૈવ કુટુંબકમ’ આપણી ભારતીય સંસ્કૃતિના આ બે શબ્દોમાં એક ઊંડો ફિલોસોફિકલ વિચાર સમાયેલો છે. એનો અર્થ છે, ‘આખું વિશ્વ એક કુટુંબ છે.’ તે એવો સાર્વત્રિક દૃષ્ટિકોણ છે જે આપણને સાર્વત્રિક કુટુંબ તરીકે પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરે છે. એક એવો પરિવાર કે જેમાં સરહદ, ભાષા અને વિચારધારાનું કોઈ બંધન નથી.
અમદાવાદના ઢોરવાડામાં ગાયોને જે રીતે રાખવામાં આવી છે તે જોઈને હચમચી જવાય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ઢોરવાડામાં ગાયોની દયનિય સ્થિતિના દૃશ્યો સામે આવ્યા છે. જે ગાય સાથે લોકોની આસ્થા જોડાયેલી છે તે ગાયોને ભંગારની જેમ એક જ જગ્યાએ ભરવામાં આવી રહી છે. આ અબોલ જીવો પર અત્યાચાર નહીં તો બીજુ શું તેવો સવાલ અહીં થવો વ્યાજબી છે. જો આ ગાયો બોલી શકતી હોત તો તે પણ બે હાથ જોડી અધિકારીઓને વિનંતી કરતી હોત રહેમ કરો, અમારા પર થોડી તો દયા બતાવો. અમે પણ શ્વાસ લેતા જીવો છીએ કોઈ નિર્જીવ ભંગાર નથી. ઉભા રહી શકાય અને જ્યારે થાકે ત્યારે બેસી શકે એટલી જગ્યા મળે એટલી તો વ્યવસ્થા કરો.
જન્માષ્ટમી (Janmashtami) પર્વની ધર્મનગરી દ્વારકામાં રંગારંગ ઉજવણી થઇ રહી છે. જગત મંદિરના સમગ્ર પરિસરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. મંગળા આરતી બાદ દ્વારકાધીશના ખુલ્લા પડદે સ્નાન દર્શન કરાવવામાં આવ્યું હતું. દ્વારકાધીશને દૂધ, મધ, ઘી, દહીં અને ખાંડમાંથી બનેલા પંચામૃતથી સ્નાન કરાવાયું હતું.
તાપીમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે. વ્યારા માં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે. મુશળધાર વરસાદને પગલે વ્યારાના કેટલાક વિસ્તારોમાં પાવર કટ કરાયો
‘કૃષ્ણ જન્માષ્ટમી’ નિમિત્તે લખનૌમાં રિઝર્વ પોલીસ લાઇન્સમાં આયોજિત એક કાર્યક્રમમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “આજે જ્યારે સમગ્ર દેશ સકારાત્મક દિશામાં આગળ વધવા માટે કામ કરી રહ્યો છે, ત્યારે કેટલાક લોકોને તે પસંદ નથી આવી રહ્યું. આ સિદ્ધિઓ પર તેઓ ભારત, ભારતીયતા, સનાતન પરંપરા પર આંગળી ચીંધવાનો પ્રયાસ કરી રહ્યા છે… પરંતુ તેઓ ભૂલી ગયા કે જે રાવણના ઘમંડથી ભૂંસાઈ ન શક્યું, જે કંસની ગર્જનાથી ડગમગ્યું ન હતું, તે શાશ્વત સત્તા બાબર અને ઔરંગઝેબના અત્યાચારોથી ભૂંસાઈ ગઈ હતી, તે આ તુચ્છ શક્તિ પરોપજીવીઓ દ્વારા કેવી રીતે ભૂંસાઈ જશે? તેઓ પોતે જ તેમના કૃત્ય માટે શરમ આવવી જોઈએ.
સુનિલ છેત્રી વિના રમતી ભારતીય ટીમે ચિયાંગ માઈ (થાઈલેન્ડ)માં રમાઈ રહેલા કિંગ્સ કપમાં વિવાદાસ્પદ પેનલ્ટી પર ગોલ ગુમાવ્યો હતો અને પ્રથમ વખત ઉચ્ચ ક્રમાંક ધરાવતી ઈરાક ટીમને હરાવવામાં નિષ્ફળ રહી હતી. રેફરીએ ઈરાકને પેનલ્ટી આપી ત્યારે ભારતીય ટીમ 79મી મિનિટ સુધી 2-1થી આગળ હતી. ઈરાકી સ્ટ્રાઈકર અયમેન ગધબાન બોક્સમાં બે ડિફેન્ડર્સ સાથે અથડાયો હતો. આ પેનલ્ટી બનવાની ન હતી પરંતુ આયમેને તેના પર ગોલ કરીને સ્કોર 2-2થી બરાબર કરી દીધો. ત્યારબાદ શૂટઆઉટમાં ઇરાક 5-4થી જીતી ગયું હતું. ભારત તરફથી બ્રેન્ડન ફર્નાન્ડિસ ગોલ કરી શક્યો નહોતો. ટૂર્નામેન્ટના નિયમો અનુસાર, જો નિર્ધારિત સમય સુધી સ્કોર સમાન રહેશે તો મેચ પેનલ્ટી શૂટ-આઉટમાં જશે. વધારાના સમય માટે કોઈ જોગવાઈ નથી.
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું, મને હિન્દુ હોવાનો ગર્વ છે. તેમણે કહ્યું, મારાં પત્ની ભારતીય છે અને એક ગૌરવાન્વિત હિન્દુ હોવાના નાતે ભારત અને ભારતના લોકો સાથે હંમેશા મારું જોડાણ રહેશે. મને મારા ભારતીય મૂળ અને ભારત સાથેના મારા સંબંધો પર ખૂબ જ ગર્વ છે.
સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, દુધરેજ શહેરી વિસ્તાર સહિત જીલ્લામાં વિજળીના કડાકા ભડાકા ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા ધરતીના તાત ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. ભારે ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો છે. સુરેન્દ્રનગર વઢવાણ સહિત શહેરમાં વિજળી ગુલ થઈ છે. વઢવાણ અને સુરેન્દ્રનગરમાં લોક મેળાની મજા વરસાદે બગાડી લોકો મેળામાંથી ઘર તરફ પલાયન.
વડોદરામાં શહેરના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે બપોર બાદ વરસાદી માહોલ છવાયો. શહેરના ગોત્રી, સયાજીગંજ, જેતલપુર, ફતેગંજ, રાવપુરા અને ગોરવા સહિતના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા..તો બીજી તરફ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. જ્યારે ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે. વાઘોડિયા વિસ્તારમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે. ખેડૂતોને પાકને નવુ જીવતદાન મળવાની આશા બંધાઈ છે.
ત્રણ મહિનાની સારવારના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલ (Anuj Patel) સ્વસ્થ થઇને અમદાવાદના ઘરે પરત ફરવાના હોવાની વાત સામે આવતા જ લોકોએ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી. છેલ્લા ત્રણ મહિનાથી અનુજ પટેલની બ્રેઇન સ્ટ્રોકના કારણે મુંબઈમાં સારવાર ચાલી રહી હતી.રિકવરી આવ્યા બાદ ત્રણ મહિને અનુજ પટેલની ઘરે પરત ફરવાની વાત સામે આવતા શહેરી જનોમાં ખુશી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાની મુલાકાત બાદ ભારત પરત ફર્યા છે. તેઓ આજે દિલ્હીમાં જી-20 સમિટની તૈયારીઓની સમીક્ષા કરશે. પીએમ મોદી આસિયાન-ભારત સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા ગયા હતા. તેઓ સુષ્મા સ્વરાજ ભવનમાં કેબિનેટ મંત્રીઓને મળશે, જ્યાં તેમને G20 સમિટની તૈયારીઓ વિશે જાણકારી આપવામાં આવશે. આ સમિટ નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે.
Ahmedabad Rain : રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું (Rain) આગમન થયું છે. ત્યારે દોઢ મહિના બાદ અમદાવાદમાં પણ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં દાણીલીમડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો શાહઆલમ, ખોડિયાનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પાલડી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.
Jamnagar : જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામના ખેડૂતે (Farmers) રાતોરાત કરોડપતિ બનવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવ્યા છે. તાંત્રિક વિધિના નામે કરોડપતિ બનાવવાના સપના દેખાડીને રૂ.10 લાખ છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી શરૂ કરી છે.
કહેવાય છે ને લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે, આવા લાલચુ લોકોને શોધી કેટલા ઢોંગી લોકો તેમને સહેલાયથી છેતરી જતા હોય છે. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં એક ખેડૂતને કરોડપતિ બનાવવાના સપના દેખાડી તેની પાસેથી રૂ.10 લાખ એક ગઠિયાએ પડાવ્યા હોવાની ઘટના સામે આવી હતી. જીતેન્દ્ર વિઠ્ઠલ કથીરીયા નામના 48 વર્ષીય ખેડૂતે જોયું કરોડપતિ બનવાનુ સપનુ અને તાંત્રિક વિધિના નામે પાંચ શખ્સએ રૂ.10 લાખ પડાવી લીધા.
તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન આપીને ભારતીય જનતા પાર્ટી (BJP)ને આક્રમક બનવાની તક આપી, જેની તે શોધમાં હતી. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ સંક્રમણ, ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી, તેને નાબૂદ કરવાની હિમાયત કરી. તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મ લોકોને ધર્મ અને જાતિના આધારે વહેંચે છે. સનાતન ધર્મનો સંપૂર્ણ વિનાશ ખરેખર માનવતા અને સમાનતા જાળવવાના હિતમાં હશે. ભાજપે તેમના નિવેદનને બંને હાથે પકડી લીધા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્રને નિશાન બનાવવામાં મોડું ન કર્યું. ઉદયનિધિનું નિવેદન ચર્ચાનો મુદ્દો બની ગયું હતું અને તેનો પડઘો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પણ સંભળાયો હતો.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “આજે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે આ ઘમંડી ગઠબંધન (INDIA) નેતાઓના ઘમંડને થોડો ઓછો કરે. તેમની વિચારસરણીમાં થોડો સુધારો કરે અને તેમનું અભિમાન તેમને હિંદુઓ અને સનાતનનું અપમાન કરતા નિમ્ન સ્તરના નિવેદનો આપવા દબાણ કરે છે.” તેમણે વધુમાં કહ્યું કે તેમના નેતાઓ રાહુલ ગાંધીની નફરતની દુકાનમાં નફરતની વસ્તુઓ વેચી રહ્યા છે.
વડોદરાના છાણી વિસ્તારની કેનાલમાં એક કિશોર ડૂબી ગયો (drowned) હોવાની ઘટના સામે આવી છે. ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી (Student) આદિત્ય તેના મિત્રો સાથે કેનાલમાં ન્હાવા માટે પડ્યો હતો. જે પછી તે કેનાલના પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો.તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે આ કેનાલમાં ત્રણ મિત્રો એક સાથે ન્હાવા પડ્યા હતા. જે પૈકી બે બહાર આવવામાં સફળ રહ્યાં હતા, પરંતુ આદિત્ય ન આવતા તેમણે બૂમાબૂમ કરી તો સ્થાનિકો એકઠા થયા. લોકોએ જાણ કરતા જ ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચીને તણાયેલા કિશોરની શોધખોળ હાથ ધરી છે.
જી-20 સમિટ પહેલા દિલ્હીની સરહદો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ અને ટ્રાફિક પોલીસની સાથે BSF પણ તૈનાત કરવામાં આવી છે. સિંઘુ બોર્ડર પર ડ્રોન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
Kheda : દ્વારકા બાદ પવિત્ર યાત્રાધામ ડાકોર (Dakor) જન્માષ્ટમી (Janmashtami) પર્વના રંગમાં રંગાયું છે. વહેલી સવારની મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો (Devotees) ઊમટી પડયા છે. વહેલી સવારે ડાકોરમાં ‘જય રણછોડ માખણચોર’, ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી’ ના નારા સાથે મંગળા આરતીની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
ડાકોર મંદિરમાં વિવિધ ભજન મંડળીઓ કૃષ્ણના ભજનોની રમઝટ બોલાવી રહ્યા છે. કાળિયા ઠાકોરને વિવિધ શણગારથી સજાવવામાં આવ્યા છે અને મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. રાત્રે સોના-ચાંદીના પારણે ઝુલાવી ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે. રાત્રે કૃષ્ણ જન્મ સમયે રણછોડરાયજીને તિલક કરાશે તેમજ તિલક બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરવામાં આવશે.
ભગવાનને વર્ષો જૂનો સોનાનો મુગટ ધારણ કરાવાશે.
કેન્દ્રીય મંત્રી વીકે સિંહ દિલ્હી એરપોર્ટ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું સ્વાગત કરશે. જી-20 સમિટ માટે બાઈડેન આવતીકાલે દિલ્હી પહોંચશે.
ભાજપના નેતા ગિરિરાજ સિંહે સનાતન પર નિવેદન આપનારાઓને કહ્યું છે કે મુંબઈની બેઠકમાં નક્કી કરાયેલા એજન્ડાને દરેક એક-એક કરીને લાગુ કરી રહ્યા છે. સનાતન પર હુમલો કરવાનું ટાળો, નહીં તો હિંદુ ચૂપ નહીં રહે. વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિના કારણે આવું થઈ રહ્યું છે. તેઓ મુસ્લિમોને ખુશ કરવા માટે આવા નિવેદનો કરી રહ્યા છે. દેશમાં જન્મેલ દરેક બાળક સનાતની છે. 2024માં જનતા જવાબ આપશે.
જકાર્તામાં ઈસ્ટ એશિયા સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ, કટ્ટરવાદ અને ભૌગોલિક રાજનીતિક સંઘર્ષો આપણા માટે મોટા પડકારો છે.
છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના ભેખડીયા ગામે બે બાળકોના ડૂબવાથી મોત થયા છે. મૃતક બાળકોના પરિવારજનોએ, છાત્રાલય સંચાલકો સામે બેદરકારીનો આરોપ લગાવીને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ભાજપના આદિવાસી મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય વિજય રાઠવાએ સંચાલકોની બેદરકારીનો આરોપ લગાવ્યો છે. છાત્રાલયના સંચાલકો ઉપર એવો આરોપ છે કે, તેઓએ બાળકોને ગેરકાયદે ઘાસચારો કાપવા મોકલ્યા હતા. આશ્રમ શાળાની ગાયમાતા માટે દરરોજ છાત્રોને ઘાસચારો લેવા મોકલવામાં આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. છાત્રાલયના સંચાલકો આ ઘટના બાદ ગાયબ થતા મૃતકોના પરિવારજનોમાં આક્રોશ વ્યાપ્યો છે.
રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ, વરસાદનો વધુ એક રાઉન્ડ ગઈકાલથી શરૂ થયો છે. સમગ્ર ઓગસ્ટ મહિનામાં નહીંવત જેવા વરસાદ બાદ હવે મેઘરાજાની કૃપા ફરીથી ગુજરાત પર વરસી રહી છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતના 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 30 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક અને મધ્ય ગુજરાતમાં છુટો છવાયો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નવસારીમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડના પારડી અને ધરમપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડ શહેર અને કપરાડામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને જન્માષ્ટમી પર્વની શુભેચ્છાઓ પાઠવી છે. ટ્વિટમાં કહ્યુ છે કે, જન્માષ્ટમી તમામના જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહ પ્રેરિત કરે છે.
जन्माष्टमी की बहुत-बहुत बधाई। श्रद्धा और भक्ति का यह पावन अवसर मेरे सभी परिवारजनों के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करे, यही कामना है। जय श्रीकृष्ण!
— Narendra Modi (@narendramodi) September 7, 2023
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર અમદાવાદમાં ઓકટોબર મહિનામાં યોજાશે. ઓક્ટોબર મહિનામાં ત્રિદિવસીય દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. હનુમાન કથા સાથે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 17 ઓક્ટોબરે કળશ યાત્રા યોજાશે. 18થી 20 ઓક્ટોબર સુધી દિવ્ય દરબાર યોજાશે. હાથીજણમાં આવેલ લાલ ગેબી સર્કલ પાસે સિદ્ધ બાણેશ્વર મેદાન ખાતે યોજાશે દિવ્ય દરબાર. જો કે બાબા બાગેશ્વર કળશયાત્રામાં હાજર રહેશે કે નહી તે હજુ નક્કી નથી.
‘સનાતન ધર્મ’ને પડકારનારા લોકો સુધી આપણો અવાજ પહોંચવો જોઈએ. જ્યાં સુધી ભક્તો જીવિત છે ત્યાં સુધી આપણા ‘ધર્મ’ અને આસ્થાને કોઈ પડકારી શકે નહીં. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દ્વારકામાં જન્માષ્ટમી પર્વ દરમિયાન જણાવ્યું હતું.
#WATCH | Delhi: “Our voices must reach those people who challenged ‘Sanatan Dharma’. Till devotees are alive, no one can challenge our ‘dharma’ and faith…”, says Union Minister Smriti Irani during Janmashtami Mahotsav in Dwarka (06/09) pic.twitter.com/k1PKBIbFUe
— ANI (@ANI) September 7, 2023
પીએમ મોદી આસિયાન-ઈન્ડિયા, ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના જકાર્તામાં એક હોટલમાં એકઠા થયેલા NRIને મળ્યા હતા.
#WATCH | Indonesia: Members of Indian Diaspora greet and shake hands with PM Modi as he arrives at hotel in Jakarta pic.twitter.com/v8BPmXUlgW
— ANI (@ANI) September 6, 2023
Published On - 6:35 am, Thu, 7 September 23