4 ઓક્ટોબરના મહત્વના સમાચાર : આણંદના વિદ્યાનગરમાં પ્રથમ નોરતે જ યુવક મંડળના ગ્રાઉન્ડમાં લાગી આગ

|

Oct 04, 2024 | 7:27 AM

આજે 04 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

4 ઓક્ટોબરના મહત્વના સમાચાર : આણંદના વિદ્યાનગરમાં પ્રથમ નોરતે જ યુવક મંડળના ગ્રાઉન્ડમાં લાગી આગ

Follow us on

LIVE NEWS & UPDATES

  • 04 Oct 2024 11:48 AM (IST)

    ગાંધીનગર: ADC બેંકની સ્થાપનાની 100 વર્ષની ઉજવણી

    ગાંધીનગર: ADC બેંકની સ્થાપનાની 100 વર્ષની ઉજવણી કરવામાં આવી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો. મહાત્મા મંદિર ખાતે સમારોહનું આયોજન કરવામાં આવ્યુ. CM ભૂપેન્દ્ર પટેલ અને સહકારી મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ જોવા મળી. સમારોહમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા.

  • 04 Oct 2024 11:45 AM (IST)

    આણંદ: વિદ્યાનગરમાં પ્રથમ નોરતે જ આગની ઘટના

    આણંદ: વિદ્યાનગરમાં પ્રથમ નોરતે જ આગની ઘટના બની છે. યુવક મંડળના ગ્રાઉન્ડના પ્રવેશ ગેટ પાસે ફોટોબુથમાં આગ લાગી છે. ફાયર NOC વગર ગરબાનું આયોજન કર્યાનો આક્ષેપ છે. સ્થાનિક રાજનેતાના આયોજન સામે તંત્ર પાંગળું હોવાનો પણ આક્ષેપ છે. ગરબાના અનેક મોટા આયોજનમાં ફાયરના નિયમો નેવે મુકાયાના આરોપ છે. કેટલા ગરબા આયોજકોને આ રીતે મંજૂરી અપાઈ તે મોટો સવાલ છે.


  • 04 Oct 2024 10:27 AM (IST)

    ગાંધીનગર: અમિત શાહના હસ્તે હીરામણિ હોસ્પિટલનું લોકાર્પણ

    ગાંધીનગર: અમિત શાહના હસ્તે હીરામણિ હોસ્પિટલનું લોકાર્પણ થયુ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. અડાલજ નજીક હીરામણિ આરોગ્યધામ બનાવાયું છે. જનસહાયક ટ્રસ્ટ દ્વારા 50 કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવાયુ છે. અમિત શાહે અડાલજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને મંત્રી પરિમલ નથવાણી હાજર રહ્યા હતા.

  • 04 Oct 2024 09:30 AM (IST)

    નવસારીઃ રમઝટ ગ્રુપ દ્વારા આયોજિત ગરબામાં બબાલ

    નવસારીમાં રમઝટ ગ્રુપ દ્વારા આયોજિત ગરબામાં બબાલ થઇ છે. એસી ડોમ ગરબામાં આયોજકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ છે. પોલીસ કર્મચારીઓને તપાસ માટે પ્રવેશવા ન દેતા બબાલ થઇ છે.
    બાઉન્સરોએ ગરબા આયોજનમાં પ્રવેશ ન આપ્યો હોવાનો આરોપ છે. બાઉન્સરો પર પોલીસ કર્મચારીઓને ધક્કે ચડાવવાનો આરોપ છે.

  • 04 Oct 2024 09:00 AM (IST)

    રાજકોટમાં 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત

    રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત થયુ છે. મવડીના પંચશીલ નગરની મહિલાનું બીમારી બાત મોત થયુ છે. રાજકોટમાં સતત રોગચાળો વકરી રહ્યો છે.


  • 04 Oct 2024 08:38 AM (IST)

    તિલક વગર ગ્રાઉન્ડમાં પ્રવેશ નહીં

    વડોદરામાં જો તમે ગરબે ઘુમવા માંગતા હોવ તો પહેલા કપાળમાં તિલક કરવું પડશે. વડોદરામાં સનાતન ધર્મને મહત્વ આપતા આ નિર્ણય લેવાયો છે. નવરાત્રીમાં ગરબા રમવા આવતા તમામ ખેલૈયાઓના કપાળ પર તિલક ફરજીયાત લગાવવાનો નિર્ણય કરાયો છે. જો કપાળ પર તિલક નહીં હોય તો ગરબા ગ્રાઉન્ડમાં નહીં અપાય પ્રવેશ. ‘નો તિલક નો પ્રવેશ’ના સૂત્ર સાથે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે ખેલૈયાઓએ પણ સંચાલકોના આ નિર્ણયને આવકાર્યો છે.

  • 04 Oct 2024 08:37 AM (IST)

    કચ્છના ભૂજના સંજોગ નગરમાં એક યુવાનની હત્યા

    કચ્છના ભૂજના સંજોગ નગરમાં એક યુવાનની હત્યા થઇ છે. ઇમામ ચોક પાસે છરી વડે યુવક પર હુમલો કરતા તેનું મોત થયુ છે. પૈસાની લેતીદેતી મામલે યુવક પર હુમલો કર્યો હતો. ભુજ એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 04 Oct 2024 07:29 AM (IST)

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ. અમિત શાહના હસ્તે રાજ્યના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે. સવારે 10 વાગ્યે અમિત શાહ ગાંધીનગરમાં હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ સવારે 11 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 12:20 કલાકે ગાંધીનગર મનપાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ બપોરે 3:15 કલાકે માણસામાં ચંદ્રાસર તળાવનું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરાશે.

  • 04 Oct 2024 07:28 AM (IST)

    અમરેલીઃ ધારીના વાઘાપરા વિસ્તારમાં જૂથ અથડામણ

    અમરેલીઃ ધારીના વાઘાપરા વિસ્તારમાં જૂથ અથડામણ થઇ. જૂની અદાવતમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણમાં 6 ઈજાગ્રસ્ત થયા. જેમની ધારી સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમરેલી સિવિલ ખસેડાયા છે. જૂથ અથડામણ મુદ્દે ધારી પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવાળી પહેલા મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટમાં PM કૃષિ ઉન્નતિ યોજનાને મંજૂરી આપી. કેન્દ્રને 1.01 લાખ કરોડનો બોજો પડશે.  અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. 13 કાર્યક્રમોમાં હાજરી આપશે. કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.  અમદાવાદમાં ફિલ્મી સ્ટાઇલે પૂત્રએ પિતાની હત્યાનો બદલો લીધો. જીપની ટક્કર મારી પિતાના હત્યારાને મોતને ઘાટ ઉતાર્યો.  ભિલોડામાં રૂપિયા 25 લાખની લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો. 3 ઇસમોએ આંખમાં મરચાની ભૂકી નાખી હતી. હેલમેટ હોવાથી લૂંટ નિષ્ફળ બની છે.  રાજકોટના બાળરોગ નિષ્ણાંત ડૉ.જયેશ ભૂતનો મૃતદેહ મળ્યો. ડેમમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી. હત્યા, આત્મહત્યા કે પછી અકસ્માત મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.