
રાજકોટમાં પણ ધામધૂમથી ધુળેટી પર્વની કરાઈ ઉજવણી. લોકો નાચતા ગાતા ધુળેટી પર્વની ઉજવણીમાં જોડાયા. નાના મોવામાં રાજ રેસીડેન્સીમાં ધારાસભ્ય રમેશ ટીલાળા ધુળેટીના રંગે રંગાયા. ધારાસભ્યએ પરિવારના સભ્યો અને સોસાયટીના લોકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી. રાજકોટના ઉદ્યોગપતિઓએ પણ ધુળેટીના પર્વનો આનંદ માણ્યો.
મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધના તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે કડાકો નોંધાયો હતો. સૌથી મોટા ઘટાડા સાથે બજાર ખુલતાં જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. નિફ્ટીમાં 496 પોઇન્ટનો ઘટાડો નોંધાતા તે 24,366ની નીચે સરક્યો, જ્યારે સેન્સેક્સમાં 1,627 પોઇન્ટનો કડાકો આવી 78,611ની નીચે પહોંચ્યો. વૈશ્વિક બજારોમાં નકારાત્મક સંકેતો અને ભૂરાજકીય અસ્થિરતાને કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
આજે નિફ્ટીની સંભવિત દિશા – નીચે તરફ રહી શકે છે.
સુરત: ધુળેટીના પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ નાચતા-ગાતા ધૂળેટીની ઉજવણી કરી. DJના તાલે ઝૂમીને લોકોએ ધૂળેટીનો આનંદ માણ્યો. ગુલાલ અને નાસ્તા સાથે સુરતવાસીઓએ ધૂળેટી ઉજવી
પરિવારજનો અને મિત્રો સાથે તમામ લોકોએ ધૂળેટીની મજા કરી.
રાજકોટ જિલ્લામાં આવેલા Metoda GIDC વિસ્તારમાં રાત્રે લગભગ ૯:૩૦ વાગ્યે રીક્ષા અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જીઆઇડીસીમાં પ્રવેશતા ટ્રકે રીક્ષાને જોરદાર ટક્કર મારતા સુનિલ વરાણીયા, વિજય ગગડીયા અને વિશાલ ગગડીયા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. Metoda Police Station એ ટ્રક ડ્રાઇવર બંસીભારતી ગોસ્વામીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
United Arab Emirates (UAE) એ ઇરાન સંબંધિત વધતી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. UAEએ દાવો કર્યો છે કે Iran દ્વારા અત્યાર સુધીમાં લગભગ 1,000 હુમલાઓ કરવામાં આવ્યા છે અને અન્ય દેશોની તુલનામાં UAE પર વધુ નિશાન સાધવામાં આવ્યું છે. જોકે, UAEએ સ્પષ્ટ કર્યું છે કે ઇરાન પર થયેલા કોઈપણ હુમલામાં તેમના એરસ્પેસનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને તેમની જમીન પરથી ઇરાન વિરુદ્ધ કોઈ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી નથી. UAEએ પોતાની ભૂમિકા નિષ્પક્ષ અને રક્ષણાત્મક હોવાનો દાવો કરતા પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
સતત પાંચમા દિવસે ઇરાન-ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યુ છે. અમેરિકા-ઇઝરાયલ હુમલામાં 787 લોકોના મોત થયા છે. અમેરિકા-ઇઝરાયલ સામે યુદ્ધ વચ્ચે ઇરાનનો મોટો દાવો છે. અમેરિકાના 650 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો IRGCનો દાવો છે.
ફિનિશ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ આજે ચાર દિવસની મુલાકાતે ભારત આવશે. તેઓ દિલ્હીમાં ૧૧મા “રાયસીના ડાયલોગ ૨૦૨૬” માં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સ્ટબ દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને વૈશ્વિક સુરક્ષા જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મળશે.
આજે 04 માર્ચના બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:19 am, Wed, 4 March 26