ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરશે. આ ઢંઢેરો સવારે 9 વાગ્યે ભાજપના મુખ્યાલયમાં બહાર પાડવામાં આવશે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીની સાથે અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેશે. આ પછી તેઓ મધ્યપ્રદેશ પહોંચશે અને હોશંગાબાદમાં એક રેલીને સંબોધિત કરશે. આ પછી પીએમ મોદી કર્ણાટકના મૈસૂર પહોંચશે જ્યાં તેઓ સાંજે 6.30 વાગ્યે મેંગ્લોરમાં રોડ શો કરશે. બાબા સાહેબ ડૉ. આંબેડકરના વિશેષ દિવસે આમ આદમી પાર્ટી ભાજપ વિરુદ્ધ ‘સંવિધાન બચાવો, સરમુખત્યારશાહી હટાવો’ અભિયાન ચલાવશે. છત્તીસગઢમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ તરફથી પીએમ નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ બાદ હવે ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢ આવશે. શાહ રાજનાંદગાંવ લોકસભા સીટના ખૈરાગઢમાં ચૂંટણી રેલી કરશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…
Published On - 6:34 am, Sun, 14 April 24