ગુજરાતમાં કોરોનાના વધેલા કેસને લઈને સુઓમોટો કામગીરીમાં ગુજરાત હાઈકોર્ટે વિજય રૂપાણી સરકારને આદેશ આપ્યો છે કે માસ્ક વિના ફરતા લોકોને, કોવીડ કેર સેન્ટરમાં સેવા કરવાનું જાહેરનામુ બહાર પાડે. પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામીતને ત્યા જમણવાર યોજાયો ત્યારે જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક પોલીસ ક્યા હતી ? તેવા વેઘક સવાલો કરીને, માસ્ક ના પહેરનારને સામાજીક સજાના ભાગરૂપે કોવિડ કેર સેન્ટરમાં સેવા કરાવડાવાનો આદેશ કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલ સુઓમોટો રીટની હાથ ઘરેલી સુનામણીમાં સરકાર અને સરકારની રીતીનિતી સામે દિશાનિર્દેશ કર્યા હતા. કાંતિ ગામીતને ત્યા 2 હજાર લોકો આવા કોરોનાકાળમાં કેવી રીતે ભેગા થયા ? લોકોના જમણવાર ચાલતો હતો ત્યારે જિલ્લાના પોલીસ વડા (SP ) કયા હતા ? સ્થાનિક પોલીસ શુ કરતી હતી ? તેવો સવાલ હાઈકોર્ટે કર્યો છે. આવા ક્રાયક્રમોને કારણે સરકારે લીધેલા પગલાઓ નિરથક સાબિત થાય છે.
ગુજરાત હાઈકોર્ટે માસ્ક ના પહેરનારા સામે પણ સખ્ત નારાજગી વ્યક્ત કરી છે. કોરોનાકાળમાં રસી નથી શોધાઈ ત્યા સુધી માસ્ક જ રસી હોવાની વાત છે. માસ્ક ના પહેરનારાઓને, કોરોનાના જે દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં રાખ્યા હોય ત્યા સામાજીક સજાના ભાગરૂપે મોકલો અને કોવિડ કેર સેન્ટરમાં 5 થી 15 દિવસ સુધી રોજ પાંચથી છ કલાક કામ કરાવોનો હુકમ ગુજરાતની વિજય રૂપાણી સરકારને કર્યો છે. આ આદેશનો અમલ તાત્કાલિક ધોરણે કરાવવા અને એક સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા પણ હાઈકોર્ટે કહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 1:04 pm, Wed, 2 December 20