VIDEO: ગુજરાતમાં કોંગો ફિવરને કારણે એક મહિલાનું મોત નિપજતા આરોગ્ય તંત્ર દોડતું

|

Aug 26, 2019 | 3:14 PM

ગુજરાતમાં કોંગો ફિવરને કારણે એક મહિલાનું મોત નિપજતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. એકબાજુ ચોમાસામાં રોગચાળોએ ભરડો લીધો છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના જામડી ગામના 75 વર્ષીય મહિલાને કોંગો ફિવર થતા તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની SVP હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સૌ પ્રથમ શંકાસ્પદ રીતે કોંગો ફિવરથી સુખીબેનના મોત મામલે […]

VIDEO: ગુજરાતમાં કોંગો ફિવરને કારણે એક મહિલાનું મોત નિપજતા આરોગ્ય તંત્ર દોડતું

Follow us on

ગુજરાતમાં કોંગો ફિવરને કારણે એક મહિલાનું મોત નિપજતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. એકબાજુ ચોમાસામાં રોગચાળોએ ભરડો લીધો છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના જામડી ગામના 75 વર્ષીય મહિલાને કોંગો ફિવર થતા તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની SVP હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સૌ પ્રથમ શંકાસ્પદ રીતે કોંગો ફિવરથી સુખીબેનના મોત મામલે પૂણેની લેબોરેટરીમાં નમૂના મોકલવામાં આવ્યા હતા. જો કે તેનો રિપોર્ટ પોઝિટીવ આવતા કોંગો ફિવરથી તેમનું મોત થયુ હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચોઃ ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે વિચિત્ર આક્ષેપ કરતા કહ્યું કે, વિપક્ષ મારક શક્તિ દ્વારા પ્રહાર કરી રહ્યું છે

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યભરમાં ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર આખરે છે શું, એ સવાલ ચોક્કસ ઉદભવતો હશે. તો તમને જણાવી દઈએ આ રોગ ખાસ કરી પશુઓ દ્વારા ફેલાય છે. ઈતરડીના કરડવાથી કોંગો વાયરસની અસર થતી હોય છે. અને આ ઈતરડી ગાય તેમજ ભેંસ જેવા પશુની પૂછડીના ભાગમાંથી મળી આવતી હોય છે. પશુઓની ચામડી પર ચોંટેલા ‘હિમોરલ’ નામના પરજીવી રોગ આ રોગનું વાહક છે. તેમજ જે લોકો ગાય, ભેંસ, બકરી, શ્વાન વગેરેના સંપર્કમાં રહેતા હોય તેવો લોકો પર આ રોગ થવાનો ખતરો વધુ રહે છે. ખાસ કરીને માલધારીઓ અને પશુપાલકોને આ રોગ થવાની શક્યતા વધુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article