કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન, 700 કરોડ બાદ સરકારે જાહેર કર્યું વધુ એક પેકેજ

|

Nov 23, 2019 | 10:05 AM

ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે સરકારે 3,795 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. કમોસમી વરસાદ બાદ ખેડૂતો સરકારની સહાય માટે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સરકારે સૌપ્રથમ 700 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. પરંતુ 700 કરોડ રૂપિયાની જાહેરાતને ખેડૂતોએ લોલીપોપ ગણાવી હતી. જે બાદ આજે ફરી નાયબ મુખ્યપ્રધાન […]

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન, 700 કરોડ બાદ સરકારે જાહેર કર્યું વધુ એક પેકેજ

Follow us on

ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે સરકારે 3,795 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. કમોસમી વરસાદ બાદ ખેડૂતો સરકારની સહાય માટે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સરકારે સૌપ્રથમ 700 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. પરંતુ 700 કરોડ રૂપિયાની જાહેરાતને ખેડૂતોએ લોલીપોપ ગણાવી હતી. જે બાદ આજે ફરી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપ અને NCPનો ખેલ, ન ઢોલ, ન જાન અને જાનૈયાઓ વગર મુખ્યમંત્રીએ શપથ ગ્રહણ કર્યાઃ કોંગ્રેસ

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ સહાય માટે સરકારે પોતાના સ્તર પર નુકસાનની સ્થિતિનું અવલોકન કર્યું હતું. જે બાદ સરકારે 3,795 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જેમાં રાજ્યના 18 હજાર ગામડાઓના 56 લાખ 36 હજાર ખેડૂતને સહાયનો લાભ મળશે. નીતિન પટેલે જણાવ્યું કે, 20 તારીખ સુધી કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનની ગણતરી કરી લીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જ્યાં એક ઈંચથી વધારે વરસાદ પડ્યો છે, તેવા 125 તાલુકાના 9 હજાર 416 ગામમાં ખાતેદાર ખેડૂતોને હેક્ટર દીઠ 6 હજાર 800 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. જ્યાં એક ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. તેવા તાલુકાના ખેડૂતોને ખાતાદીઠ 4 હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. રાજ્યના 21 જિલ્લાના બાકી રહેતા 81 તાલુકાના 5 હજાર 814 ગામોમાં પણ છૂટાછવાયા કમોસમી વરસાદથી નુકસાન થયું છે.. આ 81 તાલુકાનાં અંદાજીત 17.10 લાખ ખેડૂત ખાતેદારોને પણ ખાતા દીઠ રૂપિયા 4 હજાર લેખે રૂપિયા 684 કરોડની સહાય અપાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 9:38 am, Sat, 23 November 19

Next Article