હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. કારણ કે પહેલાથી જ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. અતિવૃષ્ટિ અને માવઠાએ અમરેલીમાં મોટા ભાગના ખેડૂતો પાયમાલ કર્યા છે. તો ભાવનગરમાં પણ ખેડૂતો વીમા સહાયની આશ રાખીને બેઠા છે. સર્વે પ્રમાણે 7583 ખેડૂતોને નુકસાન થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નવસારીમાં પણ ખેડૂતોની આ જ સ્થિતિ છે. બગડેલા પાક સાથે ખેડૂતો સરકાર તરફ મદદની મીટ માંડીને બેઠા છે. જૂનાગઢના મુખ્ય પાક એવા મગફળી, કપાસ, મરચાં સહિતના પાકોને ભારે નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. બીજી તરફ પાક વીમો પણ હજુ સુધી ન મળતા ખેડૂતોને પડ્યા પર પાટુ વાગ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો