રાજ્યમાં કમોસમી વરસાદી કહેરે ખેડૂતોની ઉંઘ હરામ કરી દીધી છે. તૈયાર પાક પર પાણી ફરી વળતા જગતના તાતના હાલ બેહાલ થયા છે. ત્યારે જામનગરમાં પણ ખેડૂતો માટે વરસાદ વેરી બન્યો છે. આકાશી આફતથી જામનગર જિલ્લામાં 1 લાખ 96 હજાર હેકટરમાં ખરીફ પાકને નુકસાન થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
11 હજારથી વધુ ખેડૂતોને મોટાપ્રમાણમાં નુક્સાન થયું છે. બીજી તરફ હેલ્પલાઈનથી હેલ્પ કરવાની વાતો વચ્ચે હજુ આ વિસ્તારમાં સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ નથી. અહીં હજુ 5 હજાર હેકટરમાં સર્વે બાકી છે. ત્યારે ક્યારે સર્વે થાય અને ક્યારે સહાય મળે તે સૌથી મોટો સવાલ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો