GUJARAT : અંકલેશ્વરમાં કોવેક્સીન રસીનું થશે ઉત્પાદન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કરી જાહેરાત

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટવિટ કરી આપી જાણકારી છે કે ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સીન રસીનું ઉત્પાદન થશે

GUJARAT : અંકલેશ્વરમાં કોવેક્સીન રસીનું થશે ઉત્પાદન, કેન્દ્રીય મંત્રી  મનસુખ માંડવીયાએ કરી જાહેરાત
covaxin to be produced in Ankleshwar, Union Minister Mansukh Mandvia announces
| Edited By: | Updated on: Aug 10, 2021 | 1:12 PM

GUJARAT : દેશમાં કોરોના વેક્સિન કોવેક્સીનના ઉત્પાદનને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ કરી જાણકારી આપી છે કે ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સીન રસીનું ઉત્પાદન થશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કરેલા ટ્વીટમાં માહિતી આપી છે કે ભારત સરકારે અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સીનના અંકલેશ્વરમાં ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ માટે મંજુરી આપી દીધી છે.

આ સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના વિઝન “સૌને રસી- મફત રસી” ની દિશામાં આ નિર્ણયથી રસીની ઉપલબ્ધતામાં વધારો થશે અને વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને વેગ આપશે.

Published On - 12:28 pm, Tue, 10 August 21

Follow Us