Gujarat Corona Update : રાજ્યમાં આજે 26 એપ્રિલે સતત ત્રીજા દિવસે કોરોનાના 14 હજારથી વધુ નવા કેસ સામે આવ્યાં છે તો આજે કોરોનાના કારણે 158 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.
14,340 નવા કેસ, 158 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 26 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 14,340 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 158 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 6486 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 5,10,373 થઇ છે. મહાનગરોમાં શહેર અને જિલ્લામાં થયેલા કુલ મૃત્યુ જોઈએ તો
અમદવાદ : શહેરમાં 26, જિલ્લામાં 1 મૃત્યુ
સુરત : શહેરમાં 23, જિલ્લામાં 2 મૃત્યુ
વડોદરા : શહેરમાં 10, જિલ્લામાં 6 મૃત્યુ
રાજકોટ : શહેરમાં 10, જિલ્લામાં 4 મૃત્યુ
જામનગર : શહેરમાં 7, જિલ્લામાં 7 મૃત્યુ
ગાંધીનગરમાં : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ
ભાવનગરમાં : શહેરમાં 2, જિલ્લામાં 2 મૃત્યુ
જુનાગઢ : શહેરમાં 2, જિલ્લામાં 2 મૃત્યુ
અમદાવાદમાં સૌથી વધુ 5619 નવા કેસ
રાજ્યમાં આજે 26 એપ્રિલે મહાનગરોમાં નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 5619, સુરતમાં 1472, રાજકોટમાં 546, વડોદરામાં 528, જામનગરમાં 373, ભાવનગરમાં 361, ગાંધીનગરમાં 188, અને જુનાગઢમાં 137 નવા કેસો સામે આવ્યાં છે.
#GujaratCoronaUpdate#COVID19Dashboard
14340 New cases
7727 Discharged
158 Deaths reported
121461 Active Cases,412 on ventilator
94,35,424 People recieved 1st dose,
20,19,205 Got 2nd dose of Covid Vaccine
64,571 people above 60 and 45-60 got first dose, 83,135 got 2nd dose today pic.twitter.com/GxBM0qBom1— GujHFWDept (@GujHFWDept) April 26, 2021
7727 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 26 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 7727 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,82,426 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 74.93 ટકા થયો છે.
1,21,461 એક્ટીવ કેસ
રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 25 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 1,15,006 એક્ટીવ કેસ હતા, જે આજે 24 એપ્રિલે વધીને 1,21,461 થયા છે, જેમાં 412 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1,21,049 લોકોની સારવાર ચાલી રહી છે.
આજે 1,59,093 લોકોનું રસીકરણ થયું
રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 25 એપ્રિલના દિવસે કુલ 1,59,093 લોકોને રસી અપાઈ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 94,35,424 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 20,19,205 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 64,571 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 64,571 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,14,54,424 લોકોને કોરોનાની રસી અપાઈ છે. (Gujarat Corona Update)