Gujarat : જાણો રાજ્યના કોરોના અપડેટ સાથે મહત્વના સમાચારો, માત્ર એક ક્લિકમાં

|

Nov 21, 2021 | 9:52 PM

Gujarat Corona Update : ગુજરાતમાં  21 નવેમ્બરના રોજ  કોરોનાના 22 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની કુલ સંખ્યા 310 થવા પામી છે

Gujarat : જાણો રાજ્યના કોરોના અપડેટ સાથે મહત્વના સમાચારો, માત્ર એક ક્લિકમાં
Gujarat News Update

Follow us on

ગુજરાતમાં(Gujarat)  21 નવેમ્બરના રોજ  કોરોનાના(Corona) 22 નવા કેસ નોંધાયા છે. જ્યારે 35 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જેમાં આજે વડોદરામાં(Vadodara)  કોરોનાના સૌથી વધારે 08, અમદાવાદમાં (Ahmedabad)  04, સુરતમાં 03, રાજકોટ શહેરમાં 2 અને જિલ્લામાં 2, વલસાડમાં 2 અને નર્મદામાં 1 કેસ નોંધાયો છે.

જયારે બાકીના જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નોંધાયો નથી.આની સાથે રાજ્યનો કોરોના રિકવરી રેટ 98. 74 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 310 થવા પામી છે. જેમાં 03 દર્દી વેન્ટિલેટર પર છે અને 307 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 8,16, 805 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે 10091 લોકો કોરોનાથી જીવ ગુમાવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ  ઉપરાંત રાજ્યના મુખ્ય સમાચારો પર નજર  કરીએ તો .. 

1.  ગુજરાતમાં ધોરણ 1થી5 નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાનો વડોદરા પેરેન્ટસ એસોસિએશનનો વિરોધ, સરકારને પૂછ્યા વેધક સવાલો

ગુજરાતમાં(Gujarat) કોરોનાની દહેશત હવે ઓછી થતા સરકારે સોમવારથી ધોરણ 1થી 5નું શિક્ષણ(Education) ઓફલાઇન(Offline) શરુ કરવાનો નિર્ણય કર્યો છે. જેનો વડોદરા પેરેન્ટસ એસોસિએશન(Vadodara Parents Association) વિધાર્થીઓના હિતમાં વિરોધ કર્યો છે. તેમજ એક તરફ રાજ્યના કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમજ બાળકોને વેક્સિન આપવામાં આવી નથી.

2. ચીરીપાલ ગ્રુપ ફરી વિવાદમાં : ભાવનગરના ખેડૂતો માટેનું 650થી વધુ બોરી સરકારી યુરીયા ખાતર અમદાવાદના ગોડાઉનમાંથી ઝડપાયું

ચીરીપાલ ગ્રુપ ફરી એક વખત વિવાદમાં આવ્યુ છે.ખેડૂતોને માંડ મળતુ યુરીયા ખાતર ગેરકાયદે લાવી મીઠાના નામે વેચતા હોવાનું સામે આવ્યુ છે, પોલીસે તપાસ કરતા અગલ અલગ બે જ્યાએથી 650 કરતા વધુ ખાતરની બોરીઓ મળી આવી છે, જે કબ્જે કરી કુલ 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાથી મુખ્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે

3. અમદાવાદમાં 20 દિવસમાં કોરોનાના 178 કેસ, કોર્પોરેશને ત્રીજી લહેરને રોકવા કવાયત હાથ ધરી

અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકાએ કોરોનાની (Corona) ત્રીજી લહેરને(Third Wave) રોકવા માટે કવાયત હાથ ધરી છે. જેમાં શહેરમાં 20 દિવસમાં કોરોનાના 178 કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદ શહેરના પ્રથમ ડોઝના કોરોના વેકસીનેશનનો 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ થઇ ચૂકયો છે. જયારે બે ડોઝ લીધેલા લોકોની સંખ્યા 55 ટકા જ છે.

4.  ભરૂચના ધર્માંતરણ કેસમાં થયો આ નવો અને મોટો ખુલાસો

ગુજરાતમાં (Gujarat) ભરૂચના (Bharuch) આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં ધર્માંતરણ (Conversion ) કેસમાં નવો ખુલાસો થયો છે.ધર્માંતરણ કરનાર લોકોના બાળકોને મોટો ખુલાસો થયો છે.સુરતના(Surat)પલસાણાના સામરોદ ગામની મદ્રસ-એ-ઇસ્લામિયામાં શિક્ષણ માટે બાળકોને મોકલાયા હોવાનું સામે આવ્યું છે.

5. સી.આર. પાટીલ અંગે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

રાજકોટ ભાજપમાં વધતા વિખવાદ અંગે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરતમાં મોટું નિવેદન આપ્યું છે. સુરતમાં વિજય રૂપાણીએ કહ્યું કે મારે અને સીઆર પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથી.અમે સાથી કાર્યકર્તા તરીકે સાથે કામ કરીએ છીએ.પ્રદેશ અધ્યક્ષને મારો સંપૂર્ણ સહકાર છે. સીઆર પાટીલ સાથે હું સારી રીતે કામ કરી રહ્યો છું.

 

Next Article