મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે કચ્છના સફેદ રણની મુલાકાત લીધી. સાથે જ સૂર્યાસ્તના દર્શન પણ કર્યા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડું કચ્છમાં રાત્રીરોકાણ કરશે અને બીજા દિવસે એટલે કે આવતીકાલે સફેદ રણના સૌંદર્યને નિહાળશે.
કચ્છ પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં સીએમ અને ઉપરાષ્ટ્રપતિએ હાજરી આપી. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટીવીનાઈન સાથે ખાસ વાત પણ કરી. જેમાં તેમણે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે કચ્છનો રણોત્સવ પીએમના વિઝનને આભારી છે. આ ઉપરાંત કચ્છના વધુ વિકાસ માટેની નવી યોજનાની પણ માહિતી આપી.
આ પણ વાંચોઃ UNમાં ભારતનો પ્રસ્તાવ મંજૂર, આ દિવસે આખું વિશ્વ ઉજવશે ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ’
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો