ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમારને પણ મળ્યું આઠ મહિનાનું એક્સટેન્શન

ગુજરાતના ચીફ સેક્રેટરી પંકજકુમાર (Pankaj Kumar) એક્સટેન્સન મળતા તેવો 2022ની વિધાનસભા ચૂંટણીમાં વ્યવસ્થાને મદદરૂપ થશે. તેમજ નવી સરકારનું ગઠન થશે ત્યાં સુધી તેવો ચીફ સેક્રેટરી રહેશે.

ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમારને પણ મળ્યું આઠ મહિનાનું એક્સટેન્શન
Gujarat Chief Secretary Pankaj KumarImage Credit source: File Image
Follow Us:
| Updated on: May 29, 2022 | 12:00 PM

ગુજરાતના(Gujarat)  મુખ્યસચિવ પંકજકુમારને(Pankaj Kumar)  પણ સરકારે આઠ મહિનાનું એક્સટેન્શન(Extension)  આપ્યું છે. તેમને 31 જાન્યુઆરી 2023 સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તેમને આઠ મહિનાના એક્સટેન્શનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જો કે ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં  આવશે.ગુજરાતના ચીફ સેક્રેટરી પંકજકુમાર એક્સટેન્સન મળતા તેવો 2022ની વિધાનસભા ચૂંટણીમાં વ્યવસ્થાને મદદરૂપ થશે. તેમજ નવી સરકારનું ગઠન થશે ત્યાં સુધી તેવો ચીફ સેક્રેટરી રહેશે.ગુજરાતના ચીફ સેક્રેટરી પંકજકુમાર વર્ષ 1986 બેન્ચના આઇએએસ અધિકારી છે.તેમણે આઈઆઈટી કાનપુરમાંથી બી.ટેક (સિવિલ એન્જિનિયરિંગ) અને આઈસીપીઈ, લ્યુબ્લજાનામાંથી એમબીએ (પબ્લિક પોલિસી એન્ડ મેનેજમેન્ટ)નો અભ્યાસ કર્યો છે.

વિવિધ વિભાગોમાં વિવિધ ક્ષમતાઓમાં બહોળો અનુભવ ધરાવે છે.

તેઓ મહેસૂલ, ગૃહ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કૃષિ અને આપત્તિ અને રાહત વ્યવસ્થાપન જેવા વિવિધ વિભાગોમાં વિવિધ ક્ષમતાઓમાં બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB), ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન વગેરે જેવા રાજ્ય PSUsમાં પણ સેવા આપી છે. તેમણે અનેક જિલ્લાઓમાં કલેક્ટર અને DDO તરીકે પણ કામ કર્યું છે. તેવો મુખ્યમંત્રીના અગ્ર સચિવ રહ્યા છે. ગુજરાત મુખ્ય સચિવ તરીકે તેમની નિમણૂક થઇ તે પૂર્વે તેમણે ગુજરાત સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે કામ કર્યું હતું.

રાષ્ટ્રીય આફતો દરમિયાન શાસનમાં સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કર્યો હતો.

તેમણે મહેસૂલ વિભાગમાં શ્રેણીબદ્ધ સુધારાઓનું નેતૃત્વ કર્યું જેમાં ઓનલાઈન પોર્ટલ iORA ના વિકાસનો સમાવેશ થાય છે જે ઓનલાઈન બિન-કૃષિ (NA) પરવાનગી અને ખાસ કરીને જમીન પ્રીમિયમ ચુકવણીની સુવિધા આપે છે. તેમણે વધુ ખુલ્લા, પારદર્શક અને જવાબદાર બનવા માટે કાર્યકારી સંસ્કૃતિમાં ફેરફારોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ખાસ કરીને રાષ્ટ્રીય આફતો દરમિયાન શાસનમાં સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. તેમને ગુજરાત રાજ્ય માટે કોવિડ-19 પ્રવૃત્તિઓ સંબંધિત સમગ્ર કાર્ય માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને માર્ગદર્શન અને દેખરેખ રાખવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચેરમેન પણ રહ્યા છે

રાજ્યના મુખ્ય સચિવ તરીકેની તેમની જવાબદારી ઉપરાંત, તેઓ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિ., ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ., ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચેરમેન પણ રહ્યા છે. ગુજરાત ગેસ લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી છે.

આ પૂર્વે આજે રાજ્યના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ પણ લંબાવાયો છે, તેમનો કાર્યકાળ 31 મે એ પુર્ણ થયો હતો. પરંતુ તેને હવે 8 મહિનાનુ એક્સેન્ટેશન મળતા હવે તેઓ 31 જાન્યુઆરી સુધી રાજ્યના  પોલીસ વડા તરીકે કાર્યરત રહેશે.તમને જણાવી દઈએ કે, IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. IPS આશિષ ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે.

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">