નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મહાનગરોમાં વીક એન્ડમાં કરફ્યૂનો હાલ કોઈ વિચાર નથી અને વીક એન્ડમાં ફૂલ કરફ્યૂનો હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યૂ યથાવત રહેશે. નાના લોકોના ધંધા-રોજગારનું પણ વિચારવાનું હોય છે અને ગરીબ અને મધ્યવર્ગનું પણ રાજ્ય સરકારે ધ્યાન રાખવાનું છે. ભીડ એકત્ર ન થાય તે માટે તંત્ર પુરતા પ્રયાસ કરી રહ્યું છે અને માસ્ક પહેર્યા વિના કોઈ બહાર ન નીકળે તેની તકેદારી રખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર ચાલતી અફવા કે ચર્ચા પર ધ્યાન ન આપવું. અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં એક્ટિવ કેસ ઓછા છે અને હાલ 3.1% એક્ટિવ કેસ છે.
આ પણ વાંચો: રાજકોટઃ શહેરના 3 વોર્ડમાં આવતીકાલે પાણીકાપ, વોટર વર્કસ શાખા દ્વારા પાઈપલાઈનમાં કરાશે મેઈન્ટેનન્સ વર્ક
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો