દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ (Somnath mahadev) ખાતે શ્રાવણ માસના (Shravan mass) સોમવારે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હતું. શ્રાવણ માસના આ બીજા સોમવારે ભગવાન સોમનાથની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પાલખી પૂજન વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય (Nimaben Achrya ) અને રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Jitu vaghani) દ્વારા કરવામાં આવ્યું હતું. ભાવિકોએ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા, ધ્વજાપૂજા કરીને ધન્યતા અનુભવી હતી. મંદિર ખાતે નવી શરૂ કરવામાં આવેલી ધ્વજા મિકેનિઝમ સિસ્ટમ દ્વારા જેમાં ભાવિકો પોતાના હાથે પવિત્ર ધ્વજાને મંદિરના શિખર સુધી પહોચાડી શકે છે. આ વ્યવસ્થાનો લાભ આજે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી અને વિધાનસભાના અધ્યક્ષે આ લાભ લીધો હતો.
શ્રાવણ મહિનામાં સામાન્ય નાગરિકો તો સોમનાથમાં (Somnath) દર્શન કરવાનો લ્હાવો લેતા જ હોય છે, પરંતુ આજે વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય તેમજ મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રી જીતુ વાઘાણીએ સોમનાથ ખાતે દર્શન પૂજનનો લાભ લીધો હતો તેમજ ધજા ચઢાવીને વિશેષ લાભ પણ લીધો હતો.
સોમનાથમાં શ્રાવણના સોમવારે મહાદેવજીના દર્શન કરવા માટે ભક્તજનોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જોકે તંત્ર તેમજ મંદિર દ્વારા કરવામાં આવેલી સુચારૂ વ્યવસ્થાને કારણે બહોળા ભક્તસમુદાયે નિરાંતે દેવાધિદેવના દર્શન કર્યા હતા.
વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પરાસરમાં કરોડોના ખર્ચે નવનિર્મિત ત્રણ ભવનોનો લોકાર્પણ સમારોહ આજે વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ રાજ્યમંત્રી કુબેર ડિંડોર, સંસ્કૃત ભારતીના પ્રમુખ શિરીષ ભેડસગોવકર, યુનિ.ના કુલપતિ ડૉ. લલિતકુમાર પટેલની હાજરીમાં યોજાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે ભવનોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિ.ના પ્રકાશનોનું વિમોચન કરાયું હતું. સાથે જ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, સોમનાથના નામથી સ્થપાયેલી આ યુનિવર્સિટી અવશ્ય જ ઉત્તરોત્તર પ્રગતિ કરશે. NAAC દ્વારા A+ Grade લાવવા બદલ યુનિ. પરીવારને અભિનંદન પાઠવ્યા હતા. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, શોધાર્થીઓ, અધ્યાપકો, અધિકારીઓ અને કર્મચારીઓને આ તમામ ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે યુનિ.માં સુવિધા વધારવા ગુજરાત સરકાર કટીબદ્ધ છે.