Gir somanth: સુત્રાપાડા પોલીસે વાહનોના ચેકિંગ દરમિયાન શંકાસ્પદ અનાજનો જથ્થો ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડ્યું હતું. આ ટ્રેક્ટરમાં ચોખાની 96 ગુણ અને તુવેર દાળની 8 ગુણ મળી આવી હતી. જેને લઈને પોલીસે મામલતદારને જાણ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા જિલ્લાના સૂત્રાપાડા નજીકથી સડી ગયેલો તુવેર દાળનો જથ્થો મળી આવ્યો હતો. વિગતો અનુસાર સરકારી તુવેરદાળ સડી ગઇ હોવાથી ફેંકી ગયાની ચર્ચા હતી. સરકારી તુવેરદાળના સડી ગયેલા 10થી વધુ કટ્ટા ફેંકેલી હાલતમાં પડ્યા હતા જેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.
સોમનાથમાં કતારમાં ઉભા રહેતા દર્શનાર્થીઓના માથે રાહતની રાવટીઓ
આગામી શ્રાવણ માસ પૂર્વે સોમનાથ મંદિર પરિસરમાં અધ્યતન રાવટીઓ કાર્યરત કરવામાં આવી છે. આ રાવટી (tant)ઓમાં લોકો શાંતિથી બેસી શકે તેમજ ઉભા રહી શકશે. વરસાદ તેમજ ગરમીની પરિસ્થિતિમાં શ્રદ્ધાળુઓ શાંતિથી વિરામ કરી શકે તે માટે સોમનાથ મંદિરના પરિસરની બહાર 20 રાવટીઓ ઉભી કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે દર્શનાર્થીઓની સંખ્યા ઓછી હતી, પરંતુ આ વર્ષે આ પ્રમાણ વધે તેવી શકયતાઓ છે. સાથે જ સૌરાષ્ટ્રમાં રજાઓ દરમિયાન પણ સોમનાથમાં ભક્તજનો ઉમટી પડતાય હોય છે તો શ્રાવણ મહિનામાં તો દેશ વિદેશના ભક્તજનો આ પવિત્ર જ્યોર્તિલિંગના દર્શને આવતા હોય છે. ત્યારે મંદિર તંત્ર દ્વારા સતત લોકોને સુવિધા મળે તેવા પ્રયત્નો થતા હોય છે.