Gujarati NewsGujaratGarba organizers urging govt to allow them to organize garba ahmedabad
કોરોનાકાળમાં ગરબા! અમદાવાદના ખેલૈયાઓ થનગનવા તૈયાર, આયોજકોએ પણ પૂર્ણ કરી તૈયારીઓ
રાજ્યમાં ગરબાના આયોજન અંગે સરકાર વિચારણા કરી રહી છે, ત્યારે અમદાવાદના ખેલૈયાઓએ નવરાત્રી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો આયોજકો પણ ગરબા આયોજન માટે તૈયાર હોવાનું જાણવા મળ્યું છે. આયોજકો કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે ગરબા આયોજન કરવાની તૈયારી દર્શાવી છે. આયોજકો દર્શકો કરતા ખેલૈયાઓને વધુ મહત્વ આપશે તેમ જણાવી રહ્યા છે. ખેલૈયાઓ માની રહ્યા છે […]
Follow us on
રાજ્યમાં ગરબાના આયોજન અંગે સરકાર વિચારણા કરી રહી છે, ત્યારે અમદાવાદના ખેલૈયાઓએ નવરાત્રી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો આયોજકો પણ ગરબા આયોજન માટે તૈયાર હોવાનું જાણવા મળ્યું છે. આયોજકો કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે ગરબા આયોજન કરવાની તૈયારી દર્શાવી છે. આયોજકો દર્શકો કરતા ખેલૈયાઓને વધુ મહત્વ આપશે તેમ જણાવી રહ્યા છે. ખેલૈયાઓ માની રહ્યા છે કે, સરકારે નવરાત્રી માટે મંજૂરી આપવી જોઇએ. ખેલૈયાઓએ સરકારની ગાઇડલાઇનનો કડક અમલ કરવાની સાથે ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની તૈયારી પણ દર્શાવી છે, ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે અમદાવાદના આયોજકો અને ખેલૈયાઓ.