Gujarati NewsGujaratGanesh bhakt bharat upadhyay of surat collected a unique collection of ganpati bappa statues from 1973
PHOTO: સુરતના ગણેશભક્ત ભરત ઉપાધ્યાયએ 1973 થી ગણપતિ બાપ્પાની મૂર્તિઓનો અનોખો સંગ્રહ કર્યો
હાલ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે. અને દરેક શેરીઓ ગલીઓમાં મંડપમાં ગણપતિ બિરાજમાન છે. જેની 10 દિવસ સુધી ભાવિક ભક્તો પૂજા અર્ચના કરશે. પણ સુરતમાં એક ગણેશભક્ત એવા પણ છે જેના માટે દરેક દિવસ ગણપતિ ઉત્સવથી ઓછો નથી. કારણ કે તેમની પાસે એક બે કે સો-બસો નહિ પણ પુરા 570 જેટલા ગણપતિ અલગ અલગ સ્વરૂપમાં […]
Follow us on
હાલ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે. અને દરેક શેરીઓ ગલીઓમાં મંડપમાં ગણપતિ બિરાજમાન છે. જેની 10 દિવસ સુધી ભાવિક ભક્તો પૂજા અર્ચના કરશે. પણ સુરતમાં એક ગણેશભક્ત એવા પણ છે જેના માટે દરેક દિવસ ગણપતિ ઉત્સવથી ઓછો નથી. કારણ કે તેમની પાસે એક બે કે સો-બસો નહિ પણ પુરા 570 જેટલા ગણપતિ અલગ અલગ સ્વરૂપમાં છે.
સુરતમાં પાલ વિસ્તારમાં રહેતા આ છે 70 વર્ષીય ભરત ઉપાધ્યાય.જે વર્ષ 1973 થી ગણપતિ બાપ્પાની મૂર્તિઓના સંગ્રહના શોખીન છે. બાપ્પાના એવા આશીર્વાદ છે તેમના પર જેમનું વર્ણન કરતા તેઓ થાકતા નથી. ગણેશજીના આશીર્વાદથી જ તેઓ આઈ.આઈ.એમમાં 7 વર્ષ અને ઇસરોમાં 3 વર્ષ નોકરી કરી ચુક્યા છે.
સુરતમાં પાલ વિસ્તારમાં રહેતા આ છે 70 વર્ષીય ભરત ઉપાધ્યાય..જે વર્ષ 1973 થી ગણપતિ બાપ્પાની મૂર્તિઓના સંગ્રહના શોખીન છે. બાપ્પાના એવા આશીર્વાદ છે તેમના પર જેમનું વર્ણન કરતા તેઓ થાકતા નથી. ગણેશજીના આશીર્વાદથી જ તેઓ આઈ.આઈ.એમમાં 7 વર્ષ અને ઇસરોમાં 3 વર્ષ નોકરી કરી ચુક્યા છે..હાલ તેઓ એક શિક્ષણ મંડળમાં સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
ભરતભાઈનું કહેવું છે કે એક વ્યક્તિ દ્વારા તેમને ગણપતિની મૂર્તિ ભેંટમાં આપવામાં આવી હતી. અને તે પછી તેમના જીવનમાં હકારાત્મક બદલાવ આવ્યો હતો. તે પછી તેમણે ક્યારેય પાછા ફરીને જોયું નથી. જોકે ગણેશજીની અસીમ કૃપાને કાયમ રાખવા તેમણે ગણપતિની અલગ અલગ પ્રતિમાઓનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું.
આજે તેમની પાસે 570 જેટલા 21 અલગ અલગ સ્વરૂપના ગણપતિનો સંગ્રહ છે. જેમાં જમણી સૂંઢવાળા, ડાબી સૂંઢવાળા, બંને સૂંઢવાળા, સીધી સૂંઢવાળા, આંકડાના ગણેશ, 108 સ્વરૂપના ગણેશ, સોપારીના ગણેશ, નારિયેળના ગણેશ, શંખના ગણેશ, રત્નો અને ઉપરત્ન સ્વરૂપના ગણેશ અને એવા તો કંઈ કેટલાય સ્વરૂપી ગણેશનો અનોખો સંગ્રહ તેમની પાસે છે.
ઘરમાં જ્યાં જુઓ જે ખૂણે જુઓ ત્યાં ગણેશજીના દર્શન થાય. ભરતભાઈને એકવાર ભેંટમાં ગણપતિ મળ્યા બાદ તેમણે જ્યાં મુસાફરી કરવા જાય ત્યાંથી ગણપતિને એકઠા કરવાનું શરૂ કર્યું. મોટા ભાગના ગણપતિ તેમની પાસે ભંગારમાંથી મળેલા છે. જેમને પણ તેઓએ ઘરમાં સ્થાન આપ્યું છે. જે દિવસ કોઈ તેમને ગણપતિ ભેંટમાં આપી જાય તે દિવસ તેમના માટે ગણપતિ ઉત્સવથી ઓછો નથી હોતો. તેઓ કોઈને પણ આ ગણપતિ ભેંટમાં આપતા નથી. કારણ કે ઘરમાં સંગ્રહ કરેલા નાનામાં નાના સ્વરૂપના ગણપતિ પણ તેમના માટે બહુમૂલ્ય રાખે છે.
ભરત ઉપાધ્યાય પાસે શ્રી ગણેશનું અઢળક જ્ઞાન છે. જીવનના 45 વર્ષ કરતા પણ વધુ સમય ગણેશજીના સંગ્રહ માટે કાઢનાર ભરત ઉપાધ્યાય ગણપતિ બાપ્પાની પ્રતિમાઓનું હજી સંગ્રહ કરવા માંગે છે. ગણપતિના 10 દિવસ તો ખરા જ પણ તેમના માટે આ ગણપતિની સેવા કરીને જ દરેક દિવસ ગણપતિ ઉત્સવ સમાન જ છે.