જળ, જમીન અને પર્યાવરણની રક્ષા સાથે રાસાયણિક ખેતીનો મજબૂત વિકલ્પ છે પ્રાકૃતિક કૃષિ

Natural farming : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે , પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની સુરક્ષા થશે. દેશી ગાયનું જતન-સંવર્ધન થશે.

જળ, જમીન અને પર્યાવરણની રક્ષા સાથે રાસાયણિક ખેતીનો મજબૂત વિકલ્પ છે પ્રાકૃતિક કૃષિ
Natural agriculture is a strong alternative to chemical farming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 9:04 PM

GANDHINAGAR : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય અને વિધાનસભ્યોની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ અંગે વિચારગોષ્ઠીમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પ પદ્મશ્રી સુભાષ પાલેકર (subhash palekar)પ્રેરિત પ્રાકૃતિક કૃષિ (Natural farming) બની શકે તેમ છે. આ પદ્ધતિથી કૃષિ ઉત્પાદન ઘટતું નથી. જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાયોનું જતન-સંવર્ઘન થાય છે.રાજભવન,ગાંધીનગર ખાતે યોજાયેલી વિચારગોષ્ઠીમાં વિધાનસભા અધ્યક્ષા સાથે વિધાનસભ્યો સજોડે ઉપસ્થિત રહ્યા હતા. અને રાજ્યમાં કૃષિના જનઅભિયાન સંદર્ભે વિચારગોષ્ઠીમાં સહભાગી થયા હતા.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના કર્મઠ નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી રાજ્યમાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિના અભિયાનમાં જોડાયા છે, ત્યારે જનપ્રતિનિધિઓ પણ પોતાના વિસ્તારમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે , પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની સુરક્ષા થશે. દેશી ગાયનું જતન-સંવર્ધન થશે, કૃષિ-ખર્ચ ઘટશે અને ઉત્પાદનોની યોગ્ય કિંમત મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ સમૃદ્ધ બનશે, જમીનની ફળદ્રુપતા વધશે અને પાણીની બચત થશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી રાસાયણિક ખાતરો પાછળની સબસીડી ઘટશે એટલું જ નહીં લોકોને ઝેરમુક્ત સ્વાસ્થ્યપ્રદ આહાર પણ ઉપ્લબ્ધ બનશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યુ હતું કે, પદ્મશ્રી સુભાષ પાલેકર (subhash palekar) પ્રેરિત પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ-ગૌમૂત્ર, બેસન, ગોળ અને માટીની મદદથી તૈયાર થતા જીવામૃત અને ઘન જીવામૃત પ્રાકૃતિક ખાતરનું કાર્ય કરે છે. અને અળસિયાં જેવા મિત્રો જીવોની પણ વૃદ્ધિ કરે છે. સરવાળે ખેતરના પાકને પૂરતું પોષણ મળે છે અને ઉત્પાદન વધે છે. રાજ્યપાલશ્રીએ ઓર્ગેનિક કૃષિ અને પ્રાકૃતિક કૃષિ વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કર્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોડલ સ્ટેટ બની પ્રેરણારુપ કાર્ય કરશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ આધારિત જિલ્લો જાહેર કરવાનો સંકલ્પ લીધો છે. એટલું જ નહીં ગાંધીનગર ખાતે સેક્ટર -21 શાક-માર્કેટમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટેનું કેન્દ્ર પણ શરુ કરાયું છે. અને રાજ્યના પ્રત્યેક જિલ્લા મથકે આવા વેચાણ કેન્દ્રો ઉભા કરાશે, જેથી ખેડૂતોને માર્કેટ મળી રહેશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ પણ સાકાર થશે.

વિચારગોષ્ઠીની શરુઆતમાં હિમાચલ પ્રદેશના પ્રાકૃતિક કૃષિ –ખુશહાલ કિસાન યોજનાના એક્ઝીક્યૂટીવ ડાયરેક્ટર અને કૃષિ વૈજ્ઞાનિક રાજેશ્વરસિંહ ચંદેલે પ્રાકૃતિક કૃષિને સમયની માગ ગણાવી હતી. હિમાચલ પ્રદેશમાં આજે 1.39 લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે, એટલું જ નહીં, પ્રાકૃતિક કૃષિ કરનારા હિમાચલ પ્રદેશના ખેડૂતોની આવકમાં રાસાયણિક કૃષિની સરખામણીમાં 27 ટકા વધારો થયો છે અને કૃષિ ખર્ચમાં 53 ટકા ઘટાડો થયો છે.

આ વિચારગોષ્ઠીમાં વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય સહિતના ધારાસભ્યો સજોડે ઉપસ્થિત રહ્યા હતા અને વિચારગોષ્ઠીમાં સહભાગી બન્યા હતા. આ અવસરે પૂર્વ મંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સૌરભભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવાઓએ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રદર્શનને પણ નીહાળ્યું હતું અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો સ્વાદ પણ માણ્યો હતો.

આ પણ વાંચો : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજરી આપશે

આ પણ વાંચો : રીક્ષાચાલકોનું અલ્ટીમેટમ, CNG અંગે 7 દિવસમાં હકારાત્મક જવાબ નહી તો દિવાળી બાદ રાજ્યભરમાં હડતાળ કરશે

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">