AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા 900થી વધુ અધિકારીઓની બદલી કરવામાં આવી, ચૂંટણી પંચની ટકોર બાદ ગુજરાતના મુખ્ય સચિવ આવ્યા એક્શનમાં

ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા ઠપકો આપ્યા બાદ એક્શનમાં આવેલા ગુજરાતના મુખ્ય સચિવે રાજ્યમાં અધિકારીઓની બદલી-પોસ્ટિંગને લઈને તાત્કાલીક પગલા લીધા હતા.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા 900થી વધુ અધિકારીઓની બદલી કરવામાં આવી, ચૂંટણી પંચની ટકોર બાદ ગુજરાતના મુખ્ય સચિવ આવ્યા એક્શનમાં
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 9:01 PM
Share

ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા ઠપકો આપ્યા બાદ એક્શનમાં આવેલા ગુજરાતના મુખ્ય સચિવે રાજ્યમાં અધિકારીઓની બદલી-પોસ્ટિંગને લઈને તાત્કાલીક પગલા લીધા હતા. પંચની નારાજગી બાદ મુખ્ય સચિવે આ મુદ્દે કમ્પ્લાયન્સ રિપોર્ટ કમિશનને મોકલી આપ્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને સૂચનાઓ અનુસાર વિવિધ ગ્રેડ અને સેવાઓના 900થી વધુ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.

કમિશનના જણાવ્યા અનુસાર હજુ સુધી 51 અધિકારીઓની બદલી કરવામાં આવી નથી તેવું ધ્યાને આવ્યું છે. તેથી, પંચે નિર્દેશ આપ્યો છે કે 6 વરિષ્ઠ IPS અધિકારીઓ સહિત બાકીનાને સૂચના આપવામાં આવે. તેમને સંબંધિત હેડક્વાર્ટરમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવે અને અનુપાલન રિપોર્ટ 27.10.22 ના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં મોકલવામાં આવે. તાજેતરમાં, કમિશને અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ અંગેના અનુપાલન અહેવાલો ફાઇલ ન કરવા બદલ ગુજરાત સરકારની નોંધ લીધી હતી.

21 ઓક્ટોબરના રોજ, કમિશને ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપીને પત્ર લખીને આ બાબતે અન્ય રિમાઇન્ડર જાહેર કરવા છતાં નિર્ધારિત સમયમર્યાદા પછી પણ અનુપાલન અહેવાલ શા માટે સબમિટ કરવામાં આવ્યો નથી તે સંજોગો અંગે સ્પષ્ટતા માંગી હતી. મહત્વનું છે કે, આ પત્રમાં એવો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો કે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો/ઓફિસોમાંથી મુખ્ય સચિવ અને ડીજીપી દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીની વિગતો સાથે 30.09.2022 સુધીમાં કમિશન સમક્ષ એક અનુપાલન અહેવાલ મૂકવામાં આવે. આ સૂચનાઓ છતાં મુખ્ય સચિવ અને ડીજીપી તરફથી નિર્ધારિત તારીખ સુધી કોઈ રિપોર્ટ મળ્યો નથી. આના પર ફરી 19 ઓક્ટોબરે કમિશનને તાત્કાલિક રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

નોંધપાત્ર રીતે કમિશને કહ્યું કે, તેના દ્વારા 1 ઓગસ્ટના રોજ એક પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય સરકારને તેમના ગૃહ જિલ્લામાં પોસ્ટ કરાયેલા અધિકારીઓ અને છેલ્લા ચાર વર્ષમાં એક જિલ્લામાં ત્રણ વર્ષ ગાળ્યા હોય તેવા અધિકારીઓની બદલી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">