ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને દિવાળી પૂર્વે અપાશે સિંચાઇ માટે પાણી

ગુજરાત સરકારના આ નિર્ણયના પગલે સિંચાઇની સુવિધા ધરાવતા વિસ્તારમાં ખેડૂતોના શિયાળુ પાક માટે સગવડ ઊભી થશે. તેમજ હાલ રાજયમાં વીજળીની અછતનો પ્રશ્ન અમુક અંશે હલ થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 7:47 PM

ગુજરાતમાં(Gujarat)ખેડૂતોને(Farmers)શનિવારથી સિંચાઈ(Irrigation)માટે પાણી આપવા આવશે. કેબિનેટ બેઠક બાદ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (jitu Vaghani)કહ્યું કે ખેડૂતોને સિંચાઈનું પાણી દર વખતે દિવાળી બાદ છોડવામાં આવે છે.પણ આ વખતે દિવાળી પહેલા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે.ત્યારબાદ ખેડૂતોને સિંચાઇનું પાણી તેમને જરૂર હશે ત્યારે છોડવામાં આવશે.

રાજય સરકારના આ નિર્ણયના પગલે સિંચાઇની સુવિધા ધરાવતા વિસ્તારમાં ખેડૂતોના શિયાળુ પાક માટે સગવડ ઊભી થશે. તેમજ હાલ રાજયમાં વીજળીની અછતનો પ્રશ્ન અમુક અંશે હલ થશે. રાજયના હાલ અનેક ગ્રામીણ વિસ્તારોના પાણીની અછતના પગલે ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વીજ કાપથી ખેડૂત પરેશાન છે, જેમાં કૂવામાં પાણી હોવા છતાં વીજળીના અભાવે પાક સુધી પાણી પહોંચાડી શકાતું નથી. આ ઉપરાંત રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નોને કોંગ્રેસના ધારાસભ્યોએ અલગ અલગ રીતે વાચા પણ આપી છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આ મુદ્દે રેલી નિકાળીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

તેમજ વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ પણ આ મુદ્દે ઉર્જામંત્રી કનુ દેસાઇને રજૂઆત કરી હતી. તેમજ જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી નહિ મળે તો તેમના પાકને નુકશાન થવાની ભીતિ પણ દર્શાવી હતી. તેમણે વીજ કંપનીઓ સમયસર વીજળી આપવા આદેશ કરવા પણ રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, સમય બગાડવા બદલ રાજનેતાને ફટકાર્યો આટલો દંડ

આ પણ વાંચો : જામનગરઃ દિવાળીના તહેવાર પહેલા શહેરના રસ્તાઓ સુધારવા કરોડો ખર્ચાયા

Follow Us:
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">