ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) નવા કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 28 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 93 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1000ની નીચે નોંધાઈ છે.જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 900 એ પહોંચી છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.06 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 146 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 24,(Ahmedabad) સુરતમાં 16, વડોદરામાં 10, રાજકોટમાં 08, સુરતમાં 06, ગાંધીનગરમાં 05, બનાસકાંઠામાં 04, મહેસાણામાં 03, ભાવનગરમાં 02, ગાંધીનગરમાં 02, કચ્છમાં 02, રાજકોટમાં 02, વલસાડમાં 02, આણંદમાં 01, મોરબીમાં 01, નર્મદામાં 01,નવસારીમાં 01, પંચમહાલમાં 01, સાબરકાંઠામાં 01 અને વડોદરામાં 01 કેસ નોંધાયો છે.
જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્મ ચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે.
હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. તમામ ગુજરાતીઓ કોરોના મહામારીના લગભગ 2 વર્ષ બાદ મન મૂકીને ગરબા રમી રમ્યા છે. આ વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી સાવચેત રહેવાની જરુર છે.
Published On - 9:07 pm, Wed, 28 September 22