ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો, નવા 475 કેસ નોંધાયા

|

Jun 28, 2022 | 8:01 PM

ગુજરાતમાં કોરોનાના(Corona) કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં  28 જુનના રોજ નવા 475 કેસ નોંધાયા છે.  જેના પગલે  કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2793 થવા પામી છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 211 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો, નવા 475 કેસ નોંધાયા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં (Gujarat)  કોરોનાના(Corona) કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં  28 જુનના રોજ નવા 475 કેસ નોંધાયા છે.  જેના પગલે  કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2793 થવા પામી છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 211 કેસ નોંધાયા છે.જેમાં સુરતમાં 76, વડોદરામાં 35, જામનગરમાં 17, મહેસાણામાં 14, નવસારીમાં 12, વડોદરામાં 12, અમરેલીમાં 10, ગાંધીનગરમાં 09, કચ્છમાં 08, ભરૂચમાં 07, ગાંધીનગરમાં 07,વલસાડમાં 07, અમદાવાદ જિલ્લામાં 05, જામનગરમાં 05, રાજકોટમાં 05, બનાસકાંઠામાં 04, દ્વારકામાં 04, ખેડામાં 04, આણંદમાં 03, ભાવનગરમાં 03,પાટણમાં 03, રાજકોટ જિલ્લામાં 03, સુરત જિલ્લામાં 03, મહીસાગરમાં 02, ગીર સોમનાથમાં 02, સાબરકાંઠામાં 02,પંચમહાલમાં 01, અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.

રાજ્ય સરકારની ચિંતા પણ વધારો

જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા

અમદાવાદ બાદ સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઇ રહયો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે.  નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ,ઓપીડી અને સારવારના સાધનો સહીત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ  એક્ટિવ કરી દેવામાં આવી છે.

 

Published On - 7:48 pm, Tue, 28 June 22

Next Article