ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ, કોરોનાના નવા 717 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 3879એ પહોંચ્યા

|

Jul 07, 2022 | 7:57 PM

ગુજરાતના કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં 07 જુલાઇના રોજ કોરોનાના નવા 717 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના એકટિવ કેસની સંખ્યા 3879એ પહોંચી છે.

ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ, કોરોનાના નવા 717 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 3879એ પહોંચ્યા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં (Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં 07 જુલાઇના રોજ કોરોનાના નવા 717 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના એકટિવ કેસની સંખ્યા 3879એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ  309, સુરતમાં 88, ગાંધીનગરમાં 31, વડોદરામાં 29, સુરતમાં 28, મહેસાણામાં 25,ભરૂચમાં 22, વલસાડ 21, પાટણ 19, ભાવનગરમાં 16, રાજકોટમાં 15, નવસારીમાં 14, મોરબીમાં 13, વડોદરામાં 12, બનાસકાાંઠામાં 08, કચ્છમાં 08, અમદાવાદ જિલ્લામાં 07, ભાવનગરમાં 07, દ્વારકામાં 07,રાજકોટમાં 05,સાબરકાંઠામાં 05, અમરેલીમાં 04, આણંદમાં 04, ગાંધીનગર જિલ્લામાં 04, સુરેન્દ્રનગરમાં 04,જામનગરમાં 03, અરવલ્લીમાં 02,ખેડામાં 02,ગીર સોમનાથમાં 01, જામનગરમાં 01, જુનાગઢમાં 01,પોરબંદરમાં 01,તાપીમાં 01 અને  બોટાદમાં 01 કેસ નોંધાયા છે.

રાજ્ય સરકારની ચિંતા પણ વધારો

જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા

અમદાવાદ બાદ સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઇ રહયો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે.  નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ,ઓપીડી અને સારવારના સાધનો સહીત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ  એક્ટિવ કરી દેવામાં આવી છે.

Published On - 7:37 pm, Thu, 7 July 22

Next Article