ગુજરાત(Gujarat) કોરોનાના(Corona) કેસો હજુ પણ યથાવત છે. જેમાં 06 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 965 કેસ નોંધાયા છે. જયારએ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6029એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad) 259, વડોદરામાં 81, વડોદરા જિલ્લામાં 60, રાજકોટમાં 56, સાબરકાંઠામાં 46, મહેસાણામાં 43, સુરતમાં 42, કચ્છમાં 38, રાજકોટમાં 33, મોરબીમાં 31, સુરતમાં 26, અરવલ્લીમાં 24, ગાંધીનગરમાં 15, આણંદમાં 14, બનાસકાંઠામાં 14, નવસારીમાં 13, પાટણમાં 13, પંચમહાલમાં 12, સુરેન્દ્રનગરમાં 11, જામનગરમાં 10, દ્વારકામાં 09, પોરબંદરમાં 08, ભરૂચમાં 07, અમદાવાદ જિલ્લામાં 06, ખેડામાં 06, ભાવનગરમાં 05, ભાવનગર જિલ્લામાં 05, દાહોદમાં 02, ગીર સોમનાથમાં 02, જૂનાગઢમાં 02, ડાંગમાં 01, જૂનાગઢ જિલ્લામાં 01 અને મહીસાગરમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજ્યમાં કોરોનાના રિકવરી રેટ 98.65 ટકા થયો છે. જયારે આજે કોરોનાથી 928 દર્દીઓ સાજા થયા છે.
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઇ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઇ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.
Published On - 7:59 pm, Sat, 6 August 22