ગુજરાત કોરોનાના નવા 383 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 3197એ પહોંચી
ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસોમાં ઘટાડો નોંધાયો છે . જેમાં કોરોનાના નવા 383 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3197 એ પહોંચી છે.
ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona) કેસોમાં ઘટાડો નોંધાયો છે . જેમાં કોરોનાના નવા 383 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3197 એ પહોંચી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3197 એ પહોંચી છે. જયારે કોરોના રિકવરી રેટ 98.88 ટકા થયો છે. જયારે આજે કોરોનાથી 664 દર્દીઓ સાજા થયા થયા છે. જેમાં આજે નોંધાયેલા કોરોનાના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં (Ahmedabad) 123, વડોદરામાં 73,રાજકોટમાં 35, સુરતમાં 13,ગાંધીનગરમાં 12, કચ્છમાં 10, મહેસાણામાં 10, વલસાડમાં 10, ભરૂચમાં 09, સુરત જીલ્લામાં 09,જામનગરમાં 08,રાજકોટ જિલ્લામાં 08, સાબરકાંઠામાં 08, આણંદમાં 07, નવસારીમાં 07, વડોદરા જિલ્લામાં 06,મોરબીમાં 05,અમદાવાદ જિલ્લામાં 04, અમરેલીમાં 03,અરવલ્લીમાં 03, ભાવનગરમાં 03, ગાંધીનગર જિલ્લામાં 03, ગીર સોમનાથમાં 03, બનાસકાંઠામાં 02,જામનગરમાં 02, પંચમહાલ 02, પોરબંદરમાં 02,બોટાદમાં 01, દાહોદમાં 01 અને પાટણમાં 01 કેસ નોંધાયો છે.
ચોમાસામાં વધારે સાવધાન રહેજો
ગુજરાતમાં દરેક જીલ્લામાં ચોમાસાનો માહોલ યથાવત છે. ત્યારે રોગચારાનો ખતરો પણ તોળાય રહ્યો છે. ઋતુગત બીમારીઓ, સ્વાઈ ફલૂ, ગાયોમાં લમ્પી વાયરય, મંકી પોક્સ મહામારી વચ્ચે લોકોએ વધારે સાવધાન રહેવાની જરુર છે. અને આ બધી બીમારીઓથી બચવા માટે વધારે સાવધાન રહેવાની જરુર છે.
શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
તહેવારોના સમયે સાવધાન રહેજો
આ મહિનાથી રાજ્યમાં થોડા થોડા દિવસના અંતરે તહેવારો આવી રહ્યા છે. તે બધા વચ્ચે મેળવડાઓ પણ વધશે અને સંક્રમણ વધવાની શક્યતા પણ છે. તેવામાં લોકોએ એક બીજાથી થોડુ અંતર રાખવુ જોઈએ અને કોરોનાથી બચવા માટેના તમામ પગલા ભરવા જોઈએ. ગયા વર્ષે પણ તહેવારોમાં થતા મેળાવડા અને ચૂંટણીઓમાં થતી ભીડને કારણે કોરોના કેસ વધ્યા હતા. તે ઘટના ફરી ન બને તે માટે સાવચેતી રાખવી જરુરી છે.