રાજ્યમાં શાળા કોલેજોમાં હિજાબ મુદ્દે સરકારે પરિપત્ર કર્યો, જાણો શું છે આ પરિપત્રમાં

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા મળેલી સૂચના અંતર્ગત મહિલાઓને હિજાબ બાબતે થયેલ વિવાદ અન્વયે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શાળા, કોલેજો માટે પરિપત્ર કર્યો છે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પણ સુચના આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 1:03 PM

કર્ણાટક હાઇકોર્ટે હિજાબ (hijab) પહેરવું એ ઇસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા નથી એવો ચુકાદો આપ્યાના એક દિવસ પછી, ગુજરાત સરકાર (government) ના શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓને એક પરિપત્ર (circular) જારી કર્યો છે. આ પરિપત્રમાં રાજયની શાળા-કોલેજોમાં હિજાબનો વિવાદ ના વકરે તે માટેના સુચનો કરવામાં આવ્યાં છે.

શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ સર્ક્યુલરમાં કહેવાયું છે કે “હિજાબ વિવાદ વિશે સાવચેત રહો જેથી કરીને કોઈ અપ્રિય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે.” આ પરિપત્રને કમિશનર ઓફ સ્કૂલ્સ, ડિરેક્ટર ઓફ હાયર એજ્યુકેશન, ડિરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, ડિરેક્ટર ઓફ પ્રાઈમરી સ્કૂલ્સ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)ને મોકલવામાં આવ્યો છે.

ગુજરાતના શિક્ષણ વિભાગે પણ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાના વડાઓને પણ આ મુદ્દે પરિપત્ર કરી સ્પષ્ટ જણાવ્યુ છે કે, રાજ્યની શાળા-કોલેજોમાં હિજાબ મુદ્દે વિવાદ થવો જોઈએ નહી. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા મળેલી સૂચના અંતર્ગત મહિલાઓને હિજાબ બાબતે થયેલ વિવાદ અન્વયે શાળા, કોલેજોમાં આ પ્રકારની ઘટના ન બને અને કાનૂની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તકેદારી રાખવામાં આવે. શિક્ષણ વિભાગના વિવિધ વિભાગો દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તકેદારી રાખવા અંગે સૂચના આપી છે.

આ પણ વાંચોઃ હર્ષ સંઘવીએ ગૃહવિભાગના બજેટમાં એવી કઈ જોગવાઈઓ કરી જેથી કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાની માગણીઓ પાછી ખેચી લેવી પડી

આ પણ વાંચોઃ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો, પદયાત્રીઓનો ધસારો, શહેર સાત સેક્ટરમાં વહેંચાયું, પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">