GANDHINAGAR : વડાપ્રધાન મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી, જાણો શું છે આ પોલિસીના ફાયદા

National Automobile Scrappage Policy : વાહન સ્ક્રેપિંગ નીતિનો ઉદ્દેશ દેશભરમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન અને રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધાઓના રૂપમાં સ્ક્રેપિંગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં આ પોલિસીના ફાયદાઓ ગણાવ્યાં છે.

GANDHINAGAR : વડાપ્રધાન મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી, જાણો શું છે આ પોલિસીના ફાયદા
PM MODI (File Picture)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 1:02 PM

GANDHINAGAR : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે ગુજરાતના ગાંધીનગરમાં રોકાણકારોની સમિટ (Investor Summit 2021) નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી.

વાહન સ્ક્રેપિંગ નીતિનો ઉદ્દેશ દેશભરમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન અને રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધાઓના રૂપમાં સ્ક્રેપિંગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં આ પોલિસીના ફાયદાઓ ગણાવ્યાં છે.

નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલીસીના ફાયદાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરતા કહ્યું કે આ પોલિસી વેસ્ટ ટુ વેલ્થ કચરામાંથી કંચન અને #CircularEconomy અભિયાનમાં એક મહત્વની કડી છે. આ નીતિ દેશના શહેરોમાંથી પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણનું રક્ષણ કરવા અને વિકાસને વેગ આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

વડાપ્રધાન મોદીએ કહ્યું કે સામાન્ય પરિવારોને દરેક રીતે આ પોલિસીથી ઘણો ફાયદો થશે. પહેલો ફાયદો એ થશે કે જૂના વાહનને સ્ક્રેપ કરવા પર પ્રમાણપત્ર આપવામાં આવશે.જે વ્યક્તિ પાસે આ પ્રમાણપત્ર છે તેણે નવા વાહનની ખરીદી પર નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન માટે કોઈ પૈસા/ ચાર્જ ચૂકવવા પડશે નહીં.આ સાથે તેને રોડ ટેક્સમાં પણ કેટલીક છૂટ આપવામાં આવશે.

બીજો ફાયદો એ થશે કે જૂના વાહનની જાળવણી કિંમત, સમારકામ ખર્ચ, બળતણ કાર્યક્ષમતા પણ આમાં બચશે.

ત્રીજો લાભ જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. જૂના વાહનો, જૂની ટેકનોલોજીના કારણે માર્ગ અકસ્માતનું જોખમ ઘણું વધારે છે, જે રાહત આપશે.

ચોથું, તે આપણા સ્વાસ્થ્ય પર પ્રદૂષણની અસરને પણ ઘટાડશે.

નવી પોલીસી આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું : PM MODI આ સાથે જ PM MODI એ કહ્યું કે આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે, ભારતમાં ઉદ્યોગને ટકાઉ અને ઉત્પાદક બનાવવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. ઓટો મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલ વેલ્યુ ચેઇન માટે શક્ય તેટલી આયાત પરની આપણી નિર્ભરતા ઘટાડવાનો અમારો પ્રયાસ છે.

ઇથેનોલ હોય, હાઇડ્રોજન ઇંધણ હોય કે ઇલેક્ટ્રિક ગતિશીલતા, સરકારની આ પ્રાથમિકતાઓ સાથે ઉદ્યોગની સક્રિય ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ થી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી, ઉદ્યોગોએ તેનો હિસ્સો વધારવો પડશે.સરકાર આ માટે તમને જે પણ મદદની જરૂર છે તે આપવા તૈયાર છે.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">