
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાત પ્રવાસ પર છે.અમદાવાદ એરપોર્ટ થી વડા પ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી સીધા જ કોબા ખાતે જવા રવાના થયા હતા.ગાંધીનગરના કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું નિર્માણ થયું છે. જેનું ઉદ્ઘાટન આજે વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું હતુ.
આજે “મહાવીર જન્મકલ્યાણક”ના પાવન અવસરે મ્યુઝિયમને ખુલ્લુ મુકાયુ છે. “સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય” વિશે વિસ્તારથી જાણીએ. પીએમ મોદીએ કહ્યું ભારતની વિવધતામાં એકતાએ સૌથી મોટી એકતા છે.આવનારી પેઢી માટે મદદરુપ થઈ શકે,આધુનિકી કરણથી આ મ્યુઝિમયમ બનાવવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિનું પવિત્ર ધામ પણ કહ્યું છે.
આ મ્યુઝિયમ એટલે ભારતની ઐતિહાસિક વિરાસત અને ભવ્ય સંસ્કૃતિનો અદભુત સમન્વય. જૈન મુનિ પદ્મસાગર સૂરીશ્વરજીની પ્રેરણાથી આ મ્યુઝિયમ તૈયાર થયું છે. જેમાં હસ્તપ્રતો, વિજ્ઞપ્તિ પત્રોનો દુર્લભ સંગ્રહ જોવા મળશે. જૈન મુનિએ 60 વર્ષમાં ભારત અને નેપાળના ખૂણેખૂણે ફરીને લગભગ 2 લાખ કિ.મી.ની પદયાત્રા કરી. આ પદયાત્રા દરમિયાન તેમણે દુર્લભ સાંસ્કૃતિક અવશેષો અને ઐતિહાસિક પુરાવાઓનું સંકલન કર્યું. જેને આ સંગ્રહાલયમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે. આ સંગ્રહાલય ભારતની આધ્યાત્મિક ચેતના અને અહિંસાના વિચારોને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે. લગભગ 95 હજાર સ્કવેર ફૂટમાં ફેલાયેલું મ્યુઝિમ અંદાજે 115 કરોડના ખર્ચે તૈયાર થયું છે.
Speaking at the inauguration of the Samrat Samprati Museum in Gandhinagar. It showcases the deep-rooted traditions of the Jain culture and its timeless values for humanity. https://t.co/yo1XszOIza
— Narendra Modi (@narendramodi) March 31, 2026
આ સંગ્રહાલય મહાન સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિ મહારાજને સમર્પિત છે. સમ્રાટ સંપ્રતિને જૈન ધર્મના પ્રખર અનુયાયી માનવામાં આવે છે. અને અહિંસાના વૈશ્વિક પ્રચારક તરીકે તે ઓળખાય છે. સમ્રાટ સંપ્રતિ મહારાજે ઈ.સ. પૂર્વે. 224 થી 215 દરમિયાન શાસન કર્યું હતું. અને આ શાસનકાળ દરમિયાન હજારો જૈન મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. સંગ્રહાલયનો ઉદ્દેશ તેમના પ્રેરણાદાયી જીવનને ભાવી પેઢી સુધી પહોંચાડવાનો છે. ખાસ વાત એ છે કે અહીં મુલાકાતીઓ માત્ર વસ્તુઓને જોશે નહીં પરંતુ, ડિજિટલ ટેક્નોલોજીથી તે યુગનો અનુભવ કરી શકશે.
Published On - 12:29 pm, Tue, 31 March 26